________________
૧૭૭
અ૦૪ સૂ૦ ૨૮-૨૯-૩૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર તિર્યંચ સંજ્ઞાવાળા પ્રાણીઓ
પતિ-મનુષ્યષ્ણ: શેષાતિર્થોન: I ૪-૨૮ | ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જીવો તિગ્મોનિ તિર્યંચ છે.
નારકો અને દેવો ઔપપાતિક છે. નારકો, દેવો અને મનુષ્યો સિવાયના સઘળા જીવોની તિર્યંગ્યોનિ ( તિર્યંચ) સંજ્ઞા છે. શાસ્ત્રમાં જુદી જુદી દષ્ટિએ જીવોના ભિન્ન ભિન્ન ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવોનાં પાંચ ભેદ પડે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવોના નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એમ ચાર ભેદ છે. નારક, દેવ અને મનુષ્ય સિવાયના સઘળા પંચેન્દ્રિય જીવો અને એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવો તિર્યંચ કહેવાય છે. (૨૮)
સ્થિતિનો અધિકાર સ્થિતિઃ | ૪–૨૧ | અહીંથી સ્થિતિ (આયુષ્યનો કાળ) શરૂ થાય છે.
આ અધિકાર સૂત્ર છે. અહીંથી સ્થિતિના=આયુષ્ય કાળના વર્ણનનો અધિકાર શરૂ થાય છે એ સૂચવવા આ સૂત્રની રચના કરી છે. (૨૯)
ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધના ઇન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિभवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥ ४-३० ॥
ભવનોમાં દક્ષિણાર્ધ અધિપતિની (=ઈન્દ્રની) દોઢ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
ભવનપતિ દેવોના દશ ભેદો છે. તે દરેકના બે વિભાગ પડે છે. (૧) દક્ષિણ દિશા તરફનાં ભવનોમાં રહેનાર. (૨) ઉત્તર દિશા તરફનાં ભવનોમાં રહેનાર. આ બંનેના ઈન્દ્રો અલગ અલગ છે. આથી દક્ષિણ તરફ રહેનારા અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવોના દશ ઈન્દ્રો અને ઉત્તર તરફ રહેનાર અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવોના દશ ઇન્દ્રો એમ ભવનપતિનિકાયમાં કુલ ૨૦ ઇન્દ્રો છે. દક્ષિણ દિશા તરફના ઈન્દ્રો દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તર દિશા તરફના ઈન્દ્રો ઉત્તરાધિપતિ છે. તેમાં સર્વ દક્ષિણાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. (૩૦)