________________
૧૭૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦૪ ૧૦૨૬-૧૭ ત્યાંથી વી મનુષ્ય ભવમાં આવી મોલમાં જાય' એ પ્રમાણે જોવામાં આવે છે. જ્યારે કોઈ સ્થળે “નવમા વિમાનમાં રહેલા દેવો નિયમા એકાવનારી હોય છે, બાકીના ૮ વિમાનના દેવો એકાવતારી જ હોય એવો નિયમ નથી' એમ પણ વાંચવા મળે છે. (૨૫)
નવ પ્રકારના લોકાંતિક દેવોનાં નવ નામોसारस्वताऽऽदित्य-वन्यरुण-गर्दतोय-तुषिता-ऽव्याबाधકરતો િ ૪-ર૬ .
સારસ્વત, આદિત્ય, વલિ અરુણ ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એમ નવ પ્રકારના લોકાંતિક દેવો છે.
લોકાંતિક દેવોનાં વિમાનોનાં સારસ્વત વગેરે નામો છે. વિમાનના દેવો પણ સારસ્વત આદિ તરીકે ઓળખાય છે. (૨૬).
અનુત્તરના વિજયાદિ ચાર વિમાનના દેવોનો સંસારકાગિયા વિના: ૪-૨૭ | વિજયાદિ ચાર વિમાનમાં બે વાર જનારા ચરમશરીરી હોય છે.
વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવો મનુષ્યના બે ભવો કરીને નિયમા મોક્ષે જય છે.
| વિજયાદિ વિમાનમાંથી એવી મનુષ્ય ગતિમાં આવે છે. મૃત્યુ પામી પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી અવી મનુષ્યગતિમાં આવે છે અને સંયમની સાધના કરી મોક્ષ પામે છે. આ પ્રમાણે અહીં બે ભવ મનુષ્યની અપેક્ષાએ છે. અન્યથા દેવભવની સાથે ત્રણ ભવ થાય છે. મનુષ્યભવમાં જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી સૂત્રમાં મનુષ્યભવની અપેક્ષાએ વિજયાદિ દેવોને કિચરમ કહેલ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિયમા એકાવતારી હોય છે.
- પાંચ પ્રકારના અનુત્તર વિમાનના દેવો લઘુકર્મી હોય છે. જે મુનિઓની મોલની સાધના થોડી જ બાકી રહી ગઈ હોય તેઓ આ પાંચ વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો, જો પૂર્વભવમાં અંતર્મુહૂર્ત જ આયુષ્ય વધારે હોત, અથવા છઠ્ઠના તપ જેટલી નિરા વધારે થઈ હોત, તો સીધા મોલમાં ચાલ્યા જાત. પણ ભવિતવ્યતા આદિના બળે થોડી સાધના બાકી રહી જવાથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. (૨૭)