________________
૧૭૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦૪ સૂ૦ ૨૩ ઉપપાત– અન્યતીર્થિકો-જૈનેતરતીર્થિકો ૧૨મા દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યચારિત્રલિંગી મિથ્યાષ્ટિઓ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ સંયતો સૌધર્મથી આરંભી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. આથી એ સિદ્ધ થયું કે સમ્યગ્દષ્ટિ સંયતો જઘન્યથી પણ સૌધર્મથી નીચે ઉત્પન્ન ન થાય. જઘન્યથી સૌધર્મ દેવલોકમાં જ ઉત્પન્ન થાય. ચૌદ પૂર્વધરો બ્રહ્મલોકથી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે.
અનુભાવ– વિમાનો તથા સિદ્ધશિલા કોઈ જાતના આધાર વિના આકાશમાં રહેલ છે. આમાં લોકસ્થિતિ જ કારણ છે. જગતમાં અનેક બાબતો એવી છે કે જે લોકસ્વભાવથી=લોકસ્થિતિથી જ સિદ્ધ થાય છે.
તીર્થકર ભગવંતોના જન્માભિષેક, કેવળજ્ઞાનોત્પત્તિ, મહાસમવસરણની રચના તથા નિર્વાણ આદિના સમયે ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. રૈવેયક દેવોના સ્થાનો કંપાયમાન થાય છે. અનુત્તર દેવોની શય્યાઓ કંપાયમાન થાય છે. આમાં તીર્થકર ભગવંતોના શુભ કર્મોનો ઉદય કે લોકસ્વભાવ જ કારણ છે. આસનાદિ કંપાયમાન થવાથી ઇન્દ્રો અને દેવો અવધિજ્ઞાન દ્વારા તીર્થકરોની તીર્થકર નામ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી અસાધારણ ધર્મવિભૂતિને જુએ છે. બાદ ઈન્દ્ર આદિ દેવો ભગવાનની પાસે આવી સ્તુતિ, વંદના, ઉપાસના, વાણી શ્રવણ આદિ યથાયોગ્ય આરાધના વડે આત્મશ્રેયઃ સાધે છે. જ્યારે નવરૈવેયકના દેવો પોતાના સ્થાનમાં જ રહીને અને અનુત્તર દેવો પોતાની શયામાં જ રહીને સ્તુતિ આદિ દ્વારા તીર્થકર ભગવંતોનું પૂજન કરે છે.
વૈમાનિકનિકાયમાં લેગ્યાપત-પર-અવરથા કિ-શિ-ગોપુ ! ૪-૨રૂ I
બે, ત્રણ અને શેષ દેવલોકમાં અનુક્રમે પીત, પદ્ધ અને શુક્લ લેશ્યા (eતે તે વેશ્યા જેવો શારીરિક વણ) હોય છે.
પ્રથમના બે દેવલોકમાં (સૌધર્મ-ઇશાનમાં) પીત વેશ્યા, પછીના ત્રણ દેવલોકમાં (=સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મમાં) પદ્મવેશ્યા, પછીના અનુત્તર સુધીના સર્વદેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. અહીં શારીરિકવર્ણરૂપ દ્રવ્યલેશ્યા વિવક્ષિત છે. કારણ કે ભાવલેશ્યા તો એ પ્રકારની હોય છે. (૨૩)