SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦૪ સૂ૦ ૨૧ પ્રશ્ન- પાંચમા કલ્પનું નામ બ્રહ્મ છે. છતાં આ સૂત્રમાં બ્રહ્મલોક એમ બ્રહ્મની સાથે લોક શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો છે ? ઉત્તર- બ્રહ્મકલ્પમાં લોકાંતિક દેવો રહે છે, એ જણાવવા બ્રહ્મશબ્દની સાથે લોક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આપણે પૂર્વે વિચારી ગયા કે વૈમાનિક નિકાયના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ મુખ્ય બે ભેદ છે. તેમાં અહીં કલ્પોપપન્નના ૧૨ ભેદોના સૌધર્મ આદિ ૧૨ નામો જણાવ્યા છે. કલ્પાતીતના રૈવેયક અને અનુત્તર એ બે ભેદ છે. રૈવેયકના નવ ભેદ છે અને અનુત્તરના પાંચ ભેદ છે. આ સૂત્રમાં અનુત્તરના પાંચ ભેદોના વિજય આદિ પાંચ નામોનો નિર્દેશ કર્યો છે. નવ રૈવેયકોનો સામાન્યથી (નામ વિના) નિર્દેશ કર્યો છે.' ડોકના અલંકારને રૈવેયક કહેવામાં આવે છે. લોકને આપણે પુરુષની ઉપમા આપીએ તો નવ રૈવેયક લોકરૂપ પુરુષની ગ્રીવાના-ડોકના સ્થાને છે, ગ્રીવાના આભરણ રૂપ છે. આથી તેમને રૈવેયક કહેવામાં આવે છે. રૈવેયકની ઉપરના વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો અલ્પસંસારી હોવાથી ઉત્તમ=પ્રધાન છે. તેમનાથી કોઈ દેવો ઉત્તમ=પ્રધાન નથી. આથી તેમના વિમાનોને અનુત્તર કહેવામાં આવે છે. અથવાદેવલોકને અંતે આવેલા હોવાથી તેમની ઉત્તર=પછી કોઈ વિમાનો ન હોવાથી અનુત્તર કહેવાય છે. (૨૦) ઉપર ઉપર સ્થિતિ આદિની અધિકતાસ્થિતિ-vમાવ-સુ-શુતિ-સ્નેપડ્યાવિશુદ્ધાક્રિયા વૃધ-વિષયોfધar: ૪–૨૨ સ્થિતિ, પ્રભાવ, સુખ, શુતિ, વેશ્યાવિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય અને અવધિવિષય એ સાત બાબતો ઉપર ઉપરના દેવોમાં ક્રમશઃ અધિક અધિક હોય છે. (૧) સ્થિતિ એટલે દેવગતિમાં રહેવાનો કાળ. આ અધ્યાયના ૨૯મા સૂત્રથી સ્થિતિનું પ્રકરણ શરૂ થશે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. (૨) નિગ્રહ-અનુગ્રહની શક્તિ, અણિમાદિ લબ્ધિઓ, અન્ય ઉપર ૧. દિગંબરો ૧૬ કલ્પ માને છે અને બે બેના જોડકાને સમશ્રેણિમાં રહેલા માને છે. જેમ કે સમશ્રેણિમાં સૌધર્મ-ઇશાન, તેની ઉપર સમશ્રેણિમાં માહેન્દ્ર-બ્રહ્મલોક... ૨. અણિમાલબ્ધિ – નાનું શરીર બનાવી કમળના બિસના છિદ્રમાં પ્રવેશી ત્યાં ચક્રવર્તીના ભોગો ભોગવી શકે. મહિમાલબ્ધિ– મેરું જેટલું મોટું શરીર બનાવી શકે. લઘિમાલબ્ધિ-વાયુ કરતા પણ હલકું શરીર બનાવી શકે. ગરિમાલબ્ધિ– વજ કરતા પણ ભારે શરીર બનાવી શકે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy