SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અ૦ ૪ સૂ૦ ૨૨] શીતજ્વાથિિધગમસૂત્ર ૧૬૯ વર્ચસ્વ વગેરે પ્રભાવ છે. આ પ્રભાવ ઉપર ઉપર અધિક હોય છે. પણ ઉપર ઉપરના દેવો મંદઅભિમાનવાળા અને અલ્પફ્લેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રાયઃ પ્રવૃત્તિ કરતા નથી. (૩) સાતવેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયોમાં ઈષ્ટ અનુભવ રૂપ સુખ ઉપર ઉપરના દેવોને અધિક હોય છે. (૪) ઘુતિ એટલે દેહ, વસ્ત્ર, આભૂષણ વગેરેની કાંતિ. (૫) લેશ્યાનું નિરૂપણ આગળ આવશે. પણ અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જે દેવોમાં સમાન લેશ્યા છે, તેમાં પણ ઉપર ઉપરના દેવોને અધિક અધિક વિશુદ્ધિ હોય છે. (૬) ઉપર ઉપર ચક્ષુ આદિ ઇન્દ્રિયો અધિક પટુ=અધિકશક્તિવાળી હોવાથી ઈન્દ્રિયવિષય અધિક છે. ઉપર ઉપરના દેવો અધિક દૂર આંખ દ્વારા જોઈ શકે છે. એમ અન્ય ઇન્દ્રિયો વિશે પણ જાણવું. (૭) ઉપર ઉપરના દેવોને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ વિશેષ હોય છે. સૌધર્મ-ઇશાન કલ્પના દેવો નીચે રત્નપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિર્ય અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. સનકુમાર-માટેન્દ્રના દેવો નીચે શર્કરામભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિથ્થુ અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એમ ક્રમશ: વધતાં વધતાં અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જોઈ શકે છે. જે દેવોમાં ક્ષેત્રથી અવધિજ્ઞાનનો વિષય સમાન છે તે દેવોમાં પણ ઉપર ઉપરના પ્રસ્તર અને વિમાનોની અપેક્ષાએ અધિક અધિક અવધિજ્ઞાન હોય છે. એ જ પ્રમાણે અવધિજ્ઞાનની વિશુદ્ધિ પણ ઉપર ઉપર અધિક હોય છે. ઉપર ઉપર ગતિ આદિની હીનતાપતિ-શરીર-પરિબ્રહમમાનતો દીના ૪-૨૨ ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન આ ચાર બાબતો ઉપર ઉપરના દેવોમાં ક્રમશઃ હીન હીન હોય છે. (૧) અહીં ગતિ શબ્દથી અન્ય સ્થળે ગમન કરવાની શક્તિ વિવક્ષિત છે. જે દેવોની જઘન્યસ્થિતિ બે સાગરોપમ છે તે દેવો નીચે સાતમી પૃથ્વી સુધી અને તિર્યમ્ અસંખ્ય યોજન સુધી જઈ શકે છે. ત્યાર બાદ જેમ જેમ જઘન્ય સ્થિતિ બે પ્રાપિલબ્ધિ– જમીન ઉપર રહેલો મેરુ પર્વતના અગ્રભાગને સ્પર્શી શકે. પ્રાકામ્પલબ્ધિપાણીમાં પૃથ્વીની જેમ અને પૃથ્વીમાં પાણીની જેમ ગમનાગમન કરી શકે. ઈશિત્વલબ્ધિતીર્થંકર-ઈન્દ્ર વગેરેની ઋદ્ધિ વિકવી શકે. વશિત્વલબ્ધિ– સર્વ જીવને વશ કરી શકે. (યોગશાસ્ત્ર ૧/૮, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રપર્વ-૧, સર્ગ-૧, શ્લોક-૮૪૩ આદિ.)
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy