________________
અ૦ ૪ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૬૭ ઊંચે (સૌધર્મની) સમશ્રેણિમાં સનકુમાર કલ્પ છે. ઐશાનથી અસંખ્ય યોજના ઊંચે (ઐશાનની) સમશ્રેણિમાં માહેન્દ્ર કલ્પ છે. આ બંનેની (સનકુમારમાટેન્દ્રની) મધ્યમાં, કિન્તુ એ બંનેથી ઊંચે બ્રહ્મલોક કલ્પ છે. એની ઉપર સમશ્રેણિમાં એક બીજાથી ઊંચે ક્રમશઃ લાંતક, મહાશુક્ર અને સહસાર એ ત્રણ કલ્પો આવેલા છે. અર્થાત્ બ્રહ્મલોકની ઉપર સમશ્રેણિમાં લાંતક, લાંતકની ઉપર સમશ્રેણિમાં મહાશુક્ર, મહાશુક્રની ઉપર સમશ્રેણિમાં સહસ્ત્રાર દેવલોક આવેલ છે. એની ઉપર સૌધર્મ અને ઈશાનની માફક આનત અને પ્રાણત એ બે કલ્પો આવેલા છે. અર્થાત દક્ષિણ વિભાગમાં પ્રાણત કલ્પ આવેલ છે. આનતથી પ્રાણત કંઈક ઊંચે છે. એની ઉપર સમશ્રેણિમાં સનકુમારમાટેન્દ્રની જેમ આરણ-અર્ચ્યુત કલ્પ આવેલા છે. અર્થાત્ આનતની ઉપર (આનતની) સમશ્રેણિમાં આરણ અને પ્રાણતની ઉપર (પ્રાણની) સમશ્રેણિમાં અશ્રુત કલ્પ છે. આરણથી અશ્રુત કંઈક ઊંચે છે.
પ્રશ્ન- આ સૂત્રમાં સઘળા શબ્દોનો એક જ સમાસ ન કરતાં જુદા જુદા સમાસો કરવામાં આવ્યાં છે. તેનું શું કારણ ?
ઉત્તર-સર્વ પ્રથમ સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો સમાસ કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે સહસ્ત્રાર સુધી મનુષ્યો અને તિર્યંચો એ બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કેવળ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. આ ભેદ બતાવવા સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો અલગ સમાસ કરવામાં આવ્યો છે. આનત-પ્રાણત એ બે કલ્પોમાં સમુદિત એક ઈન્દ્ર છે તથા આરણઅય્યત એ બે કલ્પોમાં સમુદિત એક ઈન્દ્ર છે એ જણાવવા આનત-પ્રાણત એ બે શબ્દોનો તથા આરણ-અય્યત એ બે શબ્દોનો અલગ અલગ સમાસ કરવામાં આવ્યો છે. નવરૈવેયક સુધી ઉત્પન્ન થનારા જીવો બહુલસંસારી પણ હોઈ શકે છે. જ્યારે વિજયાદિમાં ઉત્પન્ન થનારા જીવો અલ્પસંસારી જ હોય છે. આ ભેદને બતાવવા રૈવેયક શબ્દનો અસમસ્ત (=સમાસરહિત) પ્રયોગ કર્યો છે. વિજયાદિ ચાર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો થોડા (સંખ્યાતા) ભવ કરીને મોક્ષમાં જાય છે, જ્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો એક ભવે મોક્ષ પામે છે. આ રહસ્યનું સૂચન કરવા વિજયાદિ ચાર શબ્દોનો સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધનો અસમસ્ત પ્રયોગ કર્યો