SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રીતવાથિિધગમસૂત્ર [અ૦ ૪ સૂ૦ ૧૭-૧૮-૧૯-૨૦ અહીંથી વૈમાનિક નિકાયના દેવોનો અધિકાર શરૂ થાય છે. વૈમાનિક દેવો વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી વૈમાનિક કહેવાય છે. વૈમાનિક નામ પારિભાષિક છે. કારણ કે જયોતિષ્ક દેવો પણ વિમાનમાં ઉત્પન્ન થાય છે. (૧૭) વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદો પોપપન્ના: પાતિતાશ ! ૪-૧૮ છે વિમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ બે પ્રકાર છે. જયાં નાના મોટાની મર્યાદા=કલ્પ છે તે દેવલોક કલ્પ કહેવાય છે. કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન છે અને કલ્પરહિત વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. પ્રથમના ૧૨ દેવલોકમાં કલ્પ હોવાથી તેમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પપપન્ન છે. ત્યાર પછીના નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. ભવનપતિ આદિ ત્રણ નિકાયના દેવો તો કલ્પોપપન્ન જ છે. કારણ કે ત્યાં કલ્પ છે. (૧૮). વિમાનિક નિકાયના દેવલોકનું અવસ્થાન ૩પર્યપરિ | ૪-૨૧ વિમાનિક નિકાયના દેવલોકો ઉપર ઉપર આવેલા છે. વૈમાનિક નિકાયનું અવસ્થાન વ્યંતરનિકાયની જેમ અવ્યવસ્થિત નથી, તેમ જયોતિષ્કની જેમ તિથ્થુ પણ નથી, કિન્તુ ઉપર ઉપર છે. (૧૯) વિમાનિક ભેદોનાં ક્રમશઃ નામોसौधर्मेशान-सनत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक-लान्तकमहाशुक्र-सहस्त्रारेष्वानत-प्राणतयोरारणाच्युतर्योर्नवसुप्रैवेयकेषु વિષય-વૈશયા-કયતા-ડપનિષુ સર્વાર્થસિદ્ધરા ૪-૨૦ | સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવરૈવેયક, વિજય, વૈજયન્ત, જયા, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં વૈમાનિક દેવો રહે છે. જયોતિષ્ક ચક્રની ઉપર અસંખ્યાત યોજના ગયા બાદ મેરુના દક્ષિણ ભાગમાં સૌધર્મ અને ઉત્તર ભાગમાં ઈશાન કલ્પ આવેલ છે. ઈશાન દેવલોક સૌધર્મથી કંઈક ઉપર છે. બંને સમશ્રેણિમાં નથી. સૌધર્મથી અસંખ્ય યોજના
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy