________________
૧૬૪
ચંદ્ર
તારા
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo ૪ સૂ૦ ૧૫
(સૂર્યાદિ વિમાનનું પ્રમાણ-) વિમાન લંબાઇ-પહોળાઈ
ઊંચાઈ પદ/૧ યોજન
૨૮/૬૧ યોજન સૂર્ય ૪૮૬૧ યોજન
૨૪/૬૧ યોજન ગ્રહ ૨ ગાઉ
૧ ગાઉ નક્ષત્ર ૧ ગાઉ
ના ગાઉ Oા ગાઉ જ્યોતિષ્ક વિમાનો સ્વભાવથી જ પરિભ્રમણશીલ હોવા છતાં વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રગટ કરવાના હેતુથી તથા આભિયોગ્ય નામકર્મના ઉદયથી કેટલાક દેવો તે વિમાનોને વહન કરે છે. તે દેવો પરિભ્રમણ કરતાં વિમાનોની નીચે નીચે ગમન કરે છે અને સિંહ આદિના રૂપે વિમાનોને વહન કરે છે. પૂર્વમાં સિહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘોડાના રૂપે દેવો વિમાનોને વહન કરે છે. ચંદ્રવિમાનને ૧૬૦૦૦, સૂર્યવિમાનને ૧૬૦૦૦, ગ્રહવિમાનને ૮૦૦૦, નક્ષત્રવિમાનને ૪૦૦૦ અને તારાવિમાનને ૨૦૦૦ દેવો વહન કરે છે.
ચંદ્ર આદિની પરિભ્રમણ ગતિ ક્રમશઃ અધિક અધિક છે. ચંદ્રની ગતિ સર્વથી ન્યૂન છે. તેનાથી સૂર્યની ગતિ અધિક છે. તેનાથી ગ્રહની ગતિ અધિક છે. તેનાથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારાની ગતિ અધિક છે.
ઋદ્ધિના વિષયમાં ઉક્ત ક્રમથી વિપરીત ક્રમ છે. તારાની ઋદ્ધિ સર્વથા ન્યૂન છે. તેનાથી નક્ષત્રની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ગ્રહની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી સૂર્યની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ચંદ્રની ઋદ્ધિ વિશેષ છે. (૧૪)
જ્યોતિષ્ક ગતિથી કાળ– તૈતિક વિમાપ: 1 -૧૬
જ્યોતિષ્ક વિમાનોની ગતિથી કાળનો વિભાગ (=ગણતરી) થાય છે.
મુખ્ય અને ઔપચારિક (નિશ્ચય અને વ્યવહાર) એમ કાળ બે પ્રકારે છે. મુખ્યકાળ અનંતસમયાત્મક છે. તેનું લક્ષણ પાંચમા અધ્યાયના ૩૯મા સૂત્રમાં કહેશે. આ કાળ એક સ્વરૂપ છે=ભેદરહિત છે. ભેદરહિત આ મુખ્ય કાળના જ્યોતિષ્ક વિમાનોની ગતિથી દિવસ-રાત્રિ વગેરે ભેદ થાય છે. અમુક નિયત