________________
૧૬૩
અ૦૪ સૂ૦૧૪] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
જ્યોતિષ્ક વિમાનોનું પરિભ્રમણ ક્ષેત્રमेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥४-१४ ॥
ઉક્ત પાંચ પ્રકારનાં જ્યોતિષ્કનાં વિમાનો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા પરિભ્રમણ કરે છે.
મનુષ્યલોકમાં સૂર્યાદિની સંખ્યા
જબૂદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, પુષ્કરાર્ધમાં ૭ર સૂર્ય છે. આ પ્રમાણે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય છે. તે જ પ્રમાણે તેટલા જ ચંદ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા ચંદ્રનો પરિવાર છે. ચંદ્રનો પરિવાર એ જ સૂર્યનો પણ પરિવાર છે, સૂર્યનો પરિવાર અલગ નથી. કારણ કે ચંદ્ર સૂર્યથી અધિક ઋદ્ધિમાન અને પુણ્યશાળી છે. ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઆટલો એક ચંદ્રનો પરિવાર છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર હોવાથી નક્ષત્ર વગેરેની સંખ્યા ડબલ છે. અઢી દ્વીપ-સમુદ્રમાં ગ્રહ વગેરેની સંખ્યા નીચે મુજબ છે.
|
ગ્રહ
નક્ષત્ર
તારા
દ્વીપ-સમુદ્ર જેબૂદ્વીપ
૧૭૬
લવણસમુદ્ર
૩૫૨
ધાતકીખંડ
૧૦૫૬
૧૩૩૯૫૦ કોડા કોડી ૧૧૨ ૨૬૭૯૦૦ કોડા કોડી ૩૩૬ ૮૦૩૭00 કોડા કોડી ૧૧૭૬ | ૨૮૧૨૯૫૦ કોડા કોડી ૨૦૧૬ | ૪૮૨૨૨૦૦ કોડા કોડી
૩૬૯૬
કાલોદધિ પુષ્કરાઈ
| ૬૩૩૬
આ સર્વ જ્યોતિષ્કો જંબૂદ્વીપના જ મેરુની ચારે તરફ પરિમંડલકારે ગોળ ઘેરાવા પ્રમાણે પરિભ્રમણ કરતા જ રહે છે. એ વિમાનોની આવા પ્રકારની વલયાકાર ગોળ ગતિ સ્વભાવસિદ્ધ છે, કૃત્રિમ નથી. આ વિમાનો મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે. વિમાનો અર્ધકોઠાના ફળના આકાર અને સ્ફટિક રત્નમય હોય છે.
જઘન્ય સ્થિતિવાળા તારાની લંબાઇ-પહોળાઈ ૫૦૦ ધનુષ્ય અને ઊંચાઈ ૨૫૦ ધનુષ્ય હોય છે.