________________
૧૫૮
રીતત્ત્વાગિણ ૦િ૪૨૦૧૦ સાતમા-આઠમા દેવલોકના દેવો શબ્દવી મૈથુનસેવન કરે છે. નવથી બાર દેવલોના દેવો મની મૈથુનસેવન કરે છે.
ત્રીજા ચોથા દેવલોકના દેવોને જ્યારે કામવાસના અગે છે ત્યારે તેમને દેવીઓના વિવિધ અંગોનો સ્પર્શ કરે છે. આથી તેમની કામવાસના શાંત થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની કામવાસના દેવીનું રૂ૫, વસઅલંકારોનો શણગાર, વિવિધ અંગોપાંગો વગેરે જેવાથી શાંત થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવો દેવીઓના મધુર સંગીત, મૃદુ હાસ્ય, અલંકારોનો ધ્વનિ વગેરેના શ્રવણથી કામવાસનાનું શમન કરે છે. નવથી બારમા દેવલોક સુધીના દેવો દેવીઓનો માત્ર મનથી સંકલ્પ કરીને કામવાસનાને શાંત કરે છે.
અહીં એટલો ખ્યાલ રાખવાનો છે કે દેવીઓનો જન્મ બીજ ઈશાન દેવલોક સુધી જ છે. પછીના દેવલોકોમાં જન્મથી દેવો નથી હોતી. કિન્તુ તે તે દેવલોકના દેવોના સંકલ્પમાત્રથી તેવા તેવા પ્રકારની મૈથુનસેવનના સુખની ઇચ્છા જાણીને દૈવીશક્તિથી સ્વયમેવ દેવીઓ તે તે દેવલોકના તે તે દેવો પાસે જાય છે, અને તેમની ઇચ્છાને પૂર્ણ કરે છે. સૌધર્મ અને ઈશાનમાં બે પ્રકારની દેવીઓ છે. પરિગૃહીતા અને અપરિગૃહીતા. તે તે દેવની પત્ની તરીકે રહેલી દેવીઓ પરિગૃહીતા અને સર્વ સામાન્ય–દરેક દેવના ઉપભોગમાં આવતી વેશ્યા જેવી દેવીઓ અપરિગૃહીતા છે. અપરિગૃહીતા દેવીઓ ઉપરના દેવલોકના દેવોના સંકલ્પ માત્રથી તે દેવની પાસે ઉપસ્થિત થાય છે અને તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
આમ નીચે નીચેના દેવોને કામવાસના વધારે વધારે હોય છે. એથી તેને શાંત કરવા અધિક પ્રયત્ન તથા સામગ્રીની જરૂર પડે છે. જ્યારે ઉપર ઉપરના દેવોને કામવાસના અલ્પ અલ્પ હોય છે. આથી તેની શાંતિ અલ્પ પ્રયત્નથી થઈ જાય છે. (૯)
મૈનસેવનનો અભાવपरे अप्रवीचाराः ॥४-१०॥ પછીના=૧રમાદેવલોક ઉપરનાદનોનસેવનનો અભાવ છે.