SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અ૦૪ સૂ) ૭-૮-૯] શીતજ્વાથિિધગમસૂત્ર ૧૫૭ યદ્યપિ જ્યોતિષ્ક દેવોમાં દરેક સૂર્યવિમાનમાં અને દરેક ચંદ્રવિમાનમાં એક એક ઇન્દ્ર હોય છે. સૂર્યવિમાનો તથા ચંદ્રવિમાનો અસંખ્યાતા છે. આથી ઇન્દ્રો પણ અસંખ્યાતા છે. છતાં અહીં જાતિની અપેક્ષાએ જ્યોતિષીના બે જ ઈન્દ્રોની ગણતરી કરી છે. વૈમાનિકના ૧૨ દેવલોકથી ઉપર નવ રૈવેયક અને પાંચ અનુત્તર આવેલા છે. ત્યાંના દેવો કલ્પાતીત ( કલ્પથી રહિત) હોવાથી ત્યાં ઇન્દ્ર વગેરે ભેદો નથી. (૬) ભવનપતિ અને વ્યંતરનિકામાં લેશ્યાपीतान्तलेश्याः ॥४-७ ॥ પૂર્વના બે નિકાય પતલેશ્યા સુધીની વેશ્યાવાળા (=વેશ્યા જેવા શારીરિક વર્ણવાળા છે.). અહીંલેશ્યા શબ્દનો પ્રયોગ શારીરિક વર્ણના અર્થમાં કરવામાં આવ્યો છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તો એ હોય છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં કૃષ્ણ, નીલ, કાપોત અને પીત ( તૈજસ) એ ચાર લેશ્યા હોય છે. (૭) દેવોમાં મૈથુનસેવનની વિચારણાकायप्रवीचारा आ ऐशानात् ॥ ४-८ ॥ ઇશાન સુધીના દેવો કાયાથી પ્રવીચાર ( મૈથુન સેવન) કરે છે. પ્રવીચાર એટલે મૈથુનસેવન. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન સુધીના દેવો જ્યારે કામવાસના જાગે છે ત્યારે દેવીઓની સાથે કાયાથી મૈથુનસેવન કરે છે. જેમ મનુષ્યો સ્ત્રીઓની સાથે મૈથુનસેવન કરે છે તેમ. (૮) ઈશાનથી ઉપર મૈથુનસેવન– પોષાક પર્શ--શબ્દ-મન:પ્રવીવાર તોયોઃ II ઇ-૬ ઈશાનથી ઉપરના દેવો બે બે કલ્પમાં અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે મૈથુન સેવન કરે છે. પ્રવીચાર (=મૈથુનસેવન) ૧૨મા દેવલોક સુધી જ હોય છે. તેમાં પહેલા-બીજા દેવલોકના દેવો કાયાથી મૈથુનસેવન કરે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવો સ્પર્શથી મૈથુનસેવન કરે છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો રૂપથી મૈથુનસેવન કરે છે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy