________________
૧૫૬
ત્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦૪ ૧૦૫- ફરજિયાત કરવા પડે છે. (૧૦) કિલ્બિષિક- અંત્યજ (ભંગી) સમાન હલકા દેવો. યદ્યપિ અહીંની જેમ દેવલોકમાં હલકા કાર્યો કરવા પડતાં નથી, કિન્તુ તેમની ગણતરી હલકા દેવોની કોટિમાં થાય છે. અન્ય દેવો તેમને હલકી દષ્ટિથી જુએ છે. આ દેવો સૌધર્મ-ઇશાન (પહેલા-બીજ), સનકુમાર (ત્રીજા) અને લાંતક (છઠ્ઠા) દેવલોકની નીચે રહે છે. (૪).
વ્યંતર-જ્યોતિષી દેવોમાં ત્રાયસિસ અને લોકપાલનો અભાવत्रायस्त्रिंश-लोकपालवा व्यन्तर-ज्योतिष्काः ॥४-५ ॥ વ્યંતર અને જ્યોતિષ્ક નિકાય ત્રાયસિસ અને લોકપાલથી રહિત છે.
પૂર્વસૂત્રમાં ભવનપતિ આદિ ચારેય જતિના અવાંતર પ્રત્યેક ભેદના ઈન્દ્ર આદિ દશ ભેદો બતાવ્યા. પણ વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ત્રાયસિંશ અને લોકપાલનો અભાવ હોવાથી આ સૂત્રમાં તે બેનો નિષેધ ર્યો. આથી બંતર અને જયોતિષના અવાંતર પ્રત્યેક ભેદના ત્રાયસિંશ અને લોકપાલ રહિત ઇન્દ્રાદિ આઠ ભેદો છે. (૫)
ભવનપતિ અને વ્યંતરનિકામાં ઇન્દ્રોની સંખ્યાપૂર્વયોનિનાદ | ૪-૬ . પૂર્વના બે દેવનિકાયમાં (ભવનપતિ-વ્યંતરમાં) બે બે ઇન્દ્રો છે.
પૂર્વના બે નિકાય (-ભેદ) ભવનપતિ અને વ્યંતર છે. ભવનપતિ અને વ્યતર નિકાયમાં બે બે ઈન્દ્રો છે. ભવનપતિના અસુરકુમાર આદિ દશ ભેદો આગળ જણાવશે. અસુરકુમાર આદિ પ્રત્યેક ભેદના દેવોમાં બે બે ઈન્દ્રો હોવાથી ભવનપતિના કુલ ૨૦ઇન્દ્રો છે. વ્યંતરનિકાયના વ્યંતર અને વાણવ્યંતર એમ બે ભેદો છે. તે બંનેના અવાંતરભેદો આઠમાઠછે. પ્રત્યેકઅવાંતરભેદના દેવોમાં બે બે ઈન્દ્રો હોવાથી બંતરના ૧૬ અને વાણવ્યંતરના ૧૬ મળી બંતરનિકાયના કુલ ૩૨ ઈન્દ્રો છે. જયોતિષનિકાયના સૂર્ય અને ચંદ્ર એમ બે ઈન્દ્રો છે. વૈમાનિક નિકાયના પ્રથમના ૮ દેવલોકના ૮ ઇન્દ્રો અને ૯-૧૦મા દેવલોકનો એક, ૧૧-૧૨મા દેવલોકનો એક એમ કુલ ૧૦ ઈન્દ્રો છે. આ સર્વ ઇન્દ્રોની સંખ્યા ૬૪ થાય છે. આ ચોસઠ ઈન્દ્રો દરેક તીર્થકરનો જન્મ થતાં તેમને મેરુ પર્વતના શિખર ઉપર આવેલા પાંડકવનમાં લાવે છે, અને તે વનમાં રહેલી શિલાઓ ઉપર આવેલ સિંહાસન ઉપર તેમનો જન્માભિષેક કરે છે.