________________
અ૦૪ સૂ૦ ૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૫૫ ભવનપતિ દેવો ૧૦ પ્રકારના છે. વ્યંતર દેવો ૮ પ્રકારના છે. જ્યોતિષી દેવો ૫ પ્રકારના છે. વૈમાનિક દેવો ૧૨ પ્રકારના છે. વૈમાનિક દેવોના ૧૨ ભેદ ૧૨ દેવલોકને આશ્રયીને છે. આ સઘળા દેવો કલ્પનોપપન્ન કહેવાય છે. કલ્પ એટલે મર્યાદા–આચાર. જયાં નાના મોટા વગેરેની પરસ્પર મર્યાદા હોય, જ્યાં પૂજ્યોની પૂજા કરવા વગેરેના આચારો હોય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન કહેવાય છે. ભવનપતિ દેવોથી આરંભી બારમા દેવલોક સુધીના દેવોમાં નાના મોટાની મર્યાદા, સ્વામી-સેવકનો વ્યવહાર, તથા પૂજયની પૂજા વગેરેનો આચાર હોય છે. આથી ત્યાં સુધીના દેવો કલ્પોપપન્ન કહેવાય છે. (૩)
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતર ભેદના ભેદો
इन्द्र-सामानिक-त्रायस्त्रिंश-पारिषाद्या-ऽऽत्मरक्ष-लोकपालाऽनीक-प्रकीर्णका-ऽऽभियोग्य-किल्बिषिकाश्चैकशः ॥४-४॥
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતરભેદના ઈન્દ્ર, સામાજિક, ત્રાયશિ, પારિષાઘ, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલ્બિષિક એ દશ ભેદો છે.
(૧) ઈન્દ્ર- સર્વ દેવોના અધિપતિ=રાજા. (૨) સામાનિક- ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય, વગેરેની જેમ ઈન્દ્રને પણ આદરણીય અને પૂજનીય. (૩) ત્રાયસિંશ- ઇન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિક-પૌષ્ટિક કર્મ દ્વારા પ્રસન્ન રાખનારા પુરોહિત સમાન. આ દેવો ભોગમાં બહ આસક્ત રહેતા હોવાથી દોગંદક પણ કહેવાય છે. (૪) પારિષા- ઇન્દ્રની સભાના સભ્યો. તેઓ ઈન્દ્રના મિત્ર હોય છે. અવસરે અવસરે ઈન્દ્રને વિનોદ આદિ દ્વારા આનંદ પમાડે છે. (૫) આત્મરક્ષઈન્દ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઉભા રહેનાર દેવ. યદ્યપિ ઈન્દ્રને કોઈ પ્રકારનો ભય હોતો નથી, તો પણ ઈન્દ્રની વિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા માટે આત્મરક્ષક દેવ હોય છે. (૬) લોકપાલ– પોલીસ કે ચોકિયાત સમાન. (૭) અનીક– લશ્કર તથા સેનાધિપતિ. (૮) પ્રકીર્ણક- શહેર કે ગામમાં રહેનાર ચાલુ પ્રજા સમાન. (૯) આભિયોગ્ય- નોકર સમાન. તેમને વિમાનવાહન આદિ કાર્યો