________________
૧૫૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦ ૨-૩ બીજા મતે ઉત્સધાંગુલ પ્રમાણે ૧ યોજન=૧000 યોજન પ્રમાણાંગુલ થાય. ત્રીજા મતે ઉત્સધાંગુલ પ્રમાણે ૧ યોજન=અઢી યોજન પ્રમાણાંગુલ થાય.
(૩) આત્માંગુલ– જે કાળે જે માણસો પોતાના આગળના માપે ૧૦૮ આંગળ ઊંચા હોય એવાઓનું આંગળ આત્માગુલ કહેવાય. આ અંગુલ દરેક કાળે અનિયત હોય છે.
ઉત્સધાંગલથી સર્વ પ્રાણીઓની શરીરની ઊંચાઇ મપાય છે. પ્રમાણાંગુલથી દ્વીપ-સમુદ્ર-પર્વતો વગેરે શાશ્વત પદાર્થો મપાય છે. આત્માંગુલથી વાવ-તળાવ, નગર-ઘર વગેરે અશાશ્વત પદાર્થો મપાય છે.
૧ યોજનના ૪ ગાઉ થાય. ૪ ગાઉના ૮ માઇલ થાય. આ માપ પ્રમાણે પ્રમાણાંગુલના માપે એક મતે ૧ યોજન=૩૨૦૦ માઈલ થાય, બીજા મતે ૮૦૦૦ માઈલ થાય, ત્રીજા મતે ૨૦ માઈલ થાય.
અહીં ભવનપતિ આદિ દેવોનું જે સ્થાન બતાવવામાં આવ્યું છે તે જન્મને આશ્રયીને છે. પોતપોતાના ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થયેલા ભવનપતિ આદિ દેવો લવણ સમુદ્ર આદિ સ્થળે આવેલા નિવાસોમાં પણ રહે છે તથા જંબૂદ્વીપની જગતી ઉપર આવેલી વેદિકા ઉપર અને અન્ય રમણીય સ્થળોમાં ક્રિીડા કરે છે. મધ્યલોકમાં જબૂદ્વીપથી અસંખ્ય દ્વીપ સમુદ્ર ગયા બાદ પણ વ્યંતર દેવોના આવાસો છે. ત્યાં કોઈ વ્યંતર દેવ ઉત્પન્ન ન થાય. પૂર્વે બતાવેલા સ્થાને ઉત્પન્ન થયેલા વ્યંતરો ત્યાં નિવાસ કરે છે. (૧).
જ્યોતિષ્ક દેવોની લેશ્યાતોય: પતિનેય: | ૪–૨ || ત્રીજા પ્રકારના દેવો પીતલેશ્યાવાળા છે.
અહીં લેણ્યા શબ્દ વર્ણ અર્થમાં છે. કારણ કે અધ્યવસાયરૂપ લેશ્યા તો છએ હોય છે. જયોતિષ દેવોને શારીરિક વર્ણ રૂપ પીતલેશ્યા તેજલેશ્યા હોય છે. (૨)
દેવોના અવાંતરભેદોવા-ષ્ટ-પ-દલિશ-
વિન્યા: પન્ન-પર્યો ૪-રૂ. ભવનપતિ આદિ ચાર પ્રકારના દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદો છે. આ ભેદો કલ્પપપન્ન દેવોના છે.