________________
અo ૪ સૂ૦ ૧].
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૫૩
ચોથો અધ્યાય
જીવતત્ત્વનું વર્ણન ચાલે છે. તેમાં ત્રીજા અધ્યાયમાં નારક, મનુષ્ય અને તિર્યંચોને આશ્રયીને અનેક વિષયોનું પ્રતિપાદન કર્યું. હવે ચોથા ) વાયમાં દેવ સંબંધી અનેક વિષયોનું પ્રતિપાદન કરે છે.
દેવોના ભેદોદેવાનિયા : \ ૪–૨ છે. દેવો ચાર નિકાયના=પ્રકારના છે.
અહીં નિકાય શબ્દ પ્રકાર જાતિ અર્થમાં છે. ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એમ દેવોના ચાર પ્રકાર છે.
રત્નપ્રભા પૃથ્વીનું પિંડ 1 લાખ ૮૦ હજાર યોજન છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને મધ્યના ૧ લાખ ૭૮ હજાર યોજનમાં ભવનપતિ દેવોના નિવાસો છે. ઉપરના જે એક હજાર યોજન છોડેલા છે તેમાંથી ઉપરના અને નીચેના સો સો યોજન છોડીને બાકીના આઠ સો યોજનમાં વ્યંતર દેવોના નિવાસો છે. ઉપરના સો યોજનમાંથી ઉપર-નીચે દશ દશ યોજન છોડીને મધ્યના એંશી યોજનમાં વાણવ્યંતર દેવોના નિવાસો છે. સમભૂલા પૃથ્વીથી ઊંચે (=ઊર્ધ્વ) ૭૯0 યોજન બાદ ૧૧૦ યોજન પ્રમાણ વિસ્તારમાં જ્યોતિષ દેવો વસે છે. ત્યારબાદ કંઈક અધિક અર્ધરજુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવોની હદ શરૂ થાય છે. અહીં યોજનની ગણતરી પ્રમાણાંગુલથી સમજવી.
ત્રણ અંગુલનું સંક્ષિપ્ત સ્વરૂપ
અંગુલના ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માગુલ એમ ત્રણ પ્રકાર છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) ઉત્સધાંગુલ– ૮ યવમધ્ય=૧ ઉત્સધાંગુલ.
(૨) પ્રમાણાંગુલ– પ્રમાણાંગુલ ઉત્સધાંગુલથી એક મતે ૪૦૦ ગણું છે. બીજા મતે ૧૦00 ગણું છે. ત્રીજા મતે રા ગણે છે.
પહેલા મતે ઉત્સધાંગુલ પ્રમાણે ૧ યોજન=૪00 યોજન પ્રમાણાંગુલ થાય.