________________
૧૫ર
શ્રીતવાથધિગમસૂત્ર બિ૦૩ સૂ૦૧૮ પૃથ્વીકાય અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી નિરંતર પુનઃ પુનઃ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થઇ શકે છે. એ જ પ્રમાણે અપ્લાય આદિ વિશે પણ સમજવું. મનુષ્ય પુનઃ પુનઃ નિરંતર સાત ભવ સુધી મનુષ્ય થઈ શકે છે. આઠમા ભવે જો દેવકુરુ કે ઉત્તરકુમાં યુગલિક મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય તો મનુષ્યની કાયસ્થિતિ આઠ ભવ થાય. અન્યથા સાત ભવ થાય. એ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય વિષે પણ જાણવું.
જઘન્ય કાયસ્થિતિ મનુષ્યની કેસર્વપ્રકારના તિર્યંચોનીઅંતર્મુહૂર્ત છે. (૧૮)