________________
૧૫૦
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૩ સૂ૦૧૭-૧૮ મહાવિદેહ ક્ષેત્રમાં મેરુની દક્ષિણમાં દેવકુરુ ક્ષેત્ર અને મેરુની ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્ર આવેલ છે.
પ૬ અંતર્લીપો, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ ભરત, ૫ મહાવિદેહ, ૫ હૈમવત, ૫ હૈરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યફ, ૫ ઐરાવત-એમ કુલ ૧૦૧ મનુષ્યનાં ક્ષેત્રો છે. તેમાંથી ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. બાકીનાં સઘળાં ક્ષેત્રો અકર્મભૂમિ છે. (૧૬)
મનુષ્યોના આયુષ્યનો કાળ– नस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहर्ते ॥३-१७ ॥
મનુષ્યોની પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે.
પર એટલે ઉત્કૃષ્ટ=વધારેમાં વધારે. અપર એટલે જઘન્યaઓછામાં ઓછી. મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ છે. સંમૂચ્છિમ મનુષ્યોનું આયુષ્ય જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. (૧૭).
તિર્યંચોના આયુષ્યનો કાળ– તિર્થનીનાં ત્ર . રૂ૧૮ |
તિર્યંચોની પણ પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. તિર્યંચોની વિશેષથી સ્થિતિ (=તે તે જીવોનું આયુષ્ય) નીચે મુજબ છે.
ઉત્કૃષ્ટ આયુષ્ય (જીવો)
(આયુષ્ય) પૃથ્વીકાય
૨૨ હજાર વર્ષ અપ્લાય
૭ હજાર વર્ષ તેઉકાય
૩ દિવસ વાયુકાય
૩ હજાર વર્ષ વનસ્પતિકાય
૧૦ હજાર વર્ષ