________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૩ સૂ૦ ૧૫
અઢી દ્વીપની બહાર મનુષ્યોનું ગમન-આગમન થાય છે. વિદ્યાધરો અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. અપહરણથી પણ મનુષ્યો અઢી દ્વીપની બહાર હોય છે. પણ ત્યાં કોઇપણ મનુષ્યનો જન્મ કે મરણ ન જ થાય. આથી જ પુષ્કરવના અર્ધા ભાગ પછી આવેલ વલયાકાર પર્વતનું માનુષોત્તર નામ છે. તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ, ઉત્પાતસૂચક ગાંધર્વનગર આદિ ચિહ્નો વગેરે પદાર્થો અઢી દ્વીપની બહાર હોતા નથી. (૧૪)
૧૪૮
મનુષ્યના ભેદો–
આર્યા મ્તાશ્રુ 1 રૂ- ॥
મનુષ્યોના મુખ્યતયા આર્ય અને મ્લેચ્છ (=અનાર્ય) એમ બે ભેદ છે. આર્ય એટલે શ્રેષ્ઠ. શિષ્ટલોકને અનુકૂળ આચરણ કરે તે આર્ય. આર્યથી વિપરીત મનુષ્યો અનાર્ય=મ્લેચ્છ. આર્યોના છ ભેદ છે. ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ અને ભાષા.
(૧) ક્ષેત્ર આર્ય– દરેક મહાવિદેહની ૩૨ ચક્રવર્તી વિજયો, દરેક ભરતના સાડાપચીશ દેશો તથા દરેક ઐરાવતના સાડા પચીસ દેશો આર્ય છે. આથી એ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ક્ષેત્ર આર્ય=ક્ષેત્રથી આર્યછે. આર્યક્ષેત્રમાં જન્મેલા મનુષ્યો બહુધા સારા સંસ્કારવાળા અને સદાચારવાળા હોય છે. આર્યક્ષેત્રની ભૂમિ પવિત્ર હોય છે. ધર્મ આર્યક્ષેત્રમાં જ થઇ શકે છે. આથી જ મહાપુરુષોએ આર્યક્ષેત્રની મહત્તા બતાવી છે. (૨) જાતિ આર્ય– ઇક્ષ્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર, ભોગ વગેરે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય છે. (૩) કુલ આર્ય-કુલકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમકુળોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો કુલ આર્ય છે. (૪) કર્મ આર્ય– કર્મ એટલે ધંધો. પાપવાળો ધંધો કરનારા મનુષ્યો કર્મ આર્ય છે. જેમ કે—વેપારી, ખેડૂત, સુથાર, અધ્યાપક વગેરે. (૫) શિલ્પ આર્ય– શિલ્પ એટલે કારીગીરી. માનવજીવનમાં જરૂરી કામગીરી કરનારા મનુષ્યો શિલ્પ આર્ય છે. જેમ કે—વણકર, કુંભાર વગેરે. (૬) ભાષા આર્ય– શિષ્ટપુરુષોને માન્ય, સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, શિષ્ટ ભાષા બોલે તે મનુષ્યો ભાષા આર્ય છે.
અલ્પ