________________
૧૪૭.
અ૦૩ સૂ૦૧૨-૧૩-૧૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
ધાતકીખંડ દ્વિીપમાં ક્ષેત્રો અને પર્વતોની સંખ્યાકિતશીલ રૂ-૧૨ | ધાતકીખંડમાં ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વીપથી બમણાં છે.
જંબૂતીપમાં જે નામવાળાં ક્ષેત્રો અને પર્વતો છે તે જ નામવાળાં ક્ષેત્રો અને પર્વતો ધાતકીખંડમાં આવેલાં છે, પણ દરેક ક્ષેત્ર અને પર્વત બે બે છે. બે ભરત, બે હૈમવત, બે હરિવર્ષ, બે મહાવિદેહ, બે રમ્ય, બે હૈરણ્યવત, બે ઐરાવત, એમ બે બે ક્ષેત્રો છે. એ જ પ્રમાણે પર્વતો પણ બે બે છે. (૧૨)
પુષ્કરવરદ્વીપમાં ક્ષેત્રો અને પર્વતોની સંખ્યાપુરા ૨ ને રૂ-૨૩ ..
પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં પણ ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વીપથી બમણાં છે.
પુષ્કરવર દ્વીપની બરોબર મધ્યમાં માનુષોત્તર પર્વત આવેલો છે. આ પર્વત કિલ્લાની જેમ વલયાકારે ગોળ છે. આથી પુષ્કરવરદ્વીપના બે વિભાગ પડી જાય છે. પુષ્કરવરદ્વીપનો વિસ્તાર કુલ ૧૬ લાખ યોજન છે. તેના બે વિભાગ થવાથી પ્રથમ વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ અને બીજો વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ છે. બે વિભાગમાંથી પ્રથમ અર્ધવિભાગમાં જ ક્ષેત્રો અને પર્વતો છે. ધાતકીખંડમાં જેટલાં ક્ષેત્રો અને પર્વતો છે તેટલાં ક્ષેત્રો અને પર્વતો પુષ્કરવરદ્વીપના અર્ધા વિભાગમાં છે. આથી જ આ સૂત્રમાં ધાતકીખંડની જેમ પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં ક્ષેત્ર અને પર્વતો
બૂદીપથી બમણાં છે એમ જણાવ્યું છે. ધાતકીખંડમાં ક્ષેત્રો અને પર્વતો બે બે છે એ ઉપરના સૂત્રના વિવેચનમાં જણાવી દીધું. (૧૩)
મનુષ્યોના નિવાસસ્થાનની મર્યાદાપ્રાળુ માનુષોત્તરીમનુષ્યા: આ રૂ-૨૪ / માનુષોત્તર પર્વતની પહેલાં મનુષ્યો (મનુષ્યોનો વાસ) છે.
દ્વિીપો અને સમુદ્રો અસંખ્ય છે. પણ જન્મથી મનુષ્યોનો નિવાસ માનુષોત્તર પર્વતની પહેલા જેબૂદીપ, ધાતકીખંડ અને પુષ્કરવાનો અર્ધભાગ એમ અઢી દ્વીપોમાં જ છે. તિર્યંચોનો વાસ અઢી કપ ઉપરાંત બહારના દરેક દ્વિીપ-સમુદ્રમાં પણ છે.