________________
૧૪૧
૨૫
અ૦ ૩ સૂ૦ ૧૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
છ પર્વતોની જમીનથી ઊંચાઈ અને જમીનમાં ઊંડાઈ પર્વત |હિમવાન|મહાહિમાવાન, નિષધ | નીલ | રુકિમ | શિખરી બહાર | ૧૦૦ ૨૦૦ | ૪૦૦ ૪૦૦ | ૨૦૦ / ૧૦૦ ઊંચાઈ | યોજના | યોજના | યોજના | યોજના | યોજના | યોજન જમીનમાં ૨૫ | ૫૦ 1 ૧૦૦ ૧૦૦ | ૫૦ ઊંડાઈ | યોજના | યોજના | યોજના | યોજના | યોજના | યોજના
ભરતક્ષેત્રની વિશેષ માહિતી
છ ખંડ- ભરતના બરોબર મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાલ્ય પર્વત છે. આથી ભારતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગ પડે છે તથા હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળેલી અને વૈતાઢ્ય પર્વતને ભેદીને પૂર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રમાં મળેલી અનુક્રમે ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે. આથી ભારતના દક્ષિણાર્ધના ત્રણ અને ઉત્તરાર્ધના ત્રણ એમ છે ખંડ=ભાગ થાય છે. દક્ષિણાર્ધના ત્રણ ખંડોમાં જે મધ્યખંડ છે, તેના મધ્યભાગમાં ૯ યોજન પહોળી ૧૨ યોજન લાંબી અયોધ્યા નગરી છે. અયોધ્યાનગરીની ઉત્તર દિશાએ ૧૨ યોજન દૂર અષ્ટાપદ પર્વત આવેલ છે તથા આ ખંડમાં સાડા પચીસ આર્ય દેશો છે. તે સિવાયના બધા દેશો અનાર્ય છે. અન્ય પાંચ ખંડો પણ અનાર્ય છે. દક્ષિણાર્ધના મધ્યખંડમાં રહેલા આર્યદેશોમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે.
વૈતાઢ્ય પર્વતનું માપ- ૫૦ યોજન પહોળો, ૨૫ યોજન ઊંચો તથા છયોજન અને એક ગાઉ જમીનમાં ઊંડો છે. આ સંપૂર્ણ પર્વત ચાંદીનો છે.
નવ ફૂટો– વૈતાઢ્ય પર્વત ઉપર નવ ફૂટો=શિખરો આવેલા છે. પહેલો સિદ્ધાયતન નામનો કૂટ પૂર્વ સમુદ્ર પાસે અને બાકીના આઠ પશ્ચિમ સમુદ્ર પાસે આવેલા છે. સિદ્ધાયતન ફૂટ ઉપર એક સિદ્ધાયતનકશાશ્વત જિનમંદિર છે. તેમાં દરેક દિશામાં ૨૭-૨૭ એમ કુલ ૧૦૮ શાશ્વતી જિન પ્રતિમાઓ છે. બાકીના પ્રત્યેક શિખર ઉપર એક મહાન રત્નમય પ્રાસાદ છે. જયારે જ્યારે એ શિખરોના સ્વામી દેવો પોતાની રાજધાનીમાંથી અહીં આવે છે ત્યારે ત્યારે પ્રાસાદમાં આનંદથી રહે છે.