________________
૧૨૮ શ્રીતત્વાધિગમસૂત્ર
૦િ ૩ ૧૦૫ ઉપદ્ધ જાતિના દેવો દ્રોથી શું ઊતરે તેવા છે? નહિ, નહિ. એ તો તેમનાથી સવાયા છે. એદ્ધનથી પણ ઉપદ્મછે. ઉપદ્ધપરમાધામીઓનારકોના અંગોપાંગોના ખંડ ખંડટુકડા કરીને સ્ત્રોથી પણ અધિક વેદના ઉત્પન્ન કરે છે.
કાલ જાતિના પરમાધામીઓ દુઃખથી રડતા નારકોને પકડી પકડીને ધગધગતી લોઢી વગેરેમાં જીવતા માછલાની જેમ પકાવે છે.
મહાકાલ પરમાધામીઓથી થતી વિડંબનાની તો વાત જ શી કરવી? એ માત્ર કાલ નથી, મહાકાલ છે. મહાકાલ પરમાધામીઓ નારકોને તેમના શરીરમાંથી સિંહના પૂછ જેવા આકારવાળા અને કોડી પ્રમાણ માંસના ટુકડાઓ કાપીને ખવડાવે છે.
અસિપત્ર જાતિના પરમાધામીઓનું કામ અસિપત્ર તલવાર ચલાવવાનું છે. તલવાર આદિ શસ્ત્રો વડે હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક તથા અન્ય અંગોપાંગોને છેદીને છિન્નભિન્ન કરી નાખે છે.
ધનુ જતિના પરમાધામીઓ અસિપત્ર વન વિકર્વીને દેખાડે છે. છાયાના અભિલાષી બિચારા નારકો ત્યાં જાય છે. પણ ત્યાં જતાં જ તેમને અતિ દુઃખનો અનુભવ થાય છે. આ વનમાં તલવાર આદિ શસના આકાર સમાન પત્રોવાળા વૃક્ષો હોય છે. નારકો આવે એટલે તરત આ પરમાધામો પવન વિકર્વે છે. આથી વૃક્ષોના પણે ધડાધડ ખરવા માંડે છે અને નારકોના હાથ, પગ, કાન, હોઠ વગેરે અવયવો કપાઈ જાય છે. તેમાંથી લોહીની ધારાઓ છૂટે છે.
કુંભ જાતિના પરમાધામીઓ નારકોને કુંભી(=લોખંડની લોઢીતાવડીના આકાર જેવી હોય), પચનક(પકાવવાનું સાધન), શુંઠક(=વજનો તીક્ષ્ણ ખીલો) વગેરે સાધનો ઉપર પકાવે છે-શેકે છે.
વાલુક જાતિના પરમાધામીઓ નારકોને ભઠ્ઠીની રેતીથી અનંતગણી તપેલી કદંબવાલુકા નામની પૃથ્વીમાં તડતડ ફૂટતા ચણાની જેમ શેકી નાખે છે.
વૈતરણી જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિકર્વીને તેમાં નારકોને ચલાવે છે. આ નદીમાં ઊકળતા લાક્ષારસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં ચરબી, પરુ, લોહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે. અત્યંત તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે.
ખરસ્વર જાતિના પરમાધામીઓ કઠોર શબ્દોના પ્રલાપો કરતા દોડી આવે છે. નારકો પાસે કુહાડાઓથી પરસ્પર શરીરની ચામડી છોલાવરાવે છે. તે પણ