________________
૧૨૨
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૩ સૂ૦ ૩ નરકો છે. એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં પણ સમજવું. પણ સાતમી પૃથ્વીમાં ઉપર સાડા બાવન હજાર અને નીચે પણ સાડા બાવન હજાર છોડી બાકીના ત્રણ હજાર યોજનમાં નારકાવાસો છે.
રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પ્રસ્તરો (=અતરો) આવેલા છે. પ્રતિરો માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલ છજા–તળીયા સમાન હોય છે. આ પ્રતિરો ઉપર ઉપર આવેલાં છે. એ પ્રતિરોમાં નારકાવાસો આવેલા છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૦૯૯૫ અને ૫ નરકાવાસો છે. આ નરકો નરકાવાસો મુખ્યતયા ત્રણ પ્રકારના છે. ઈન્દ્રક, પંક્તિગત અને પુષ્પાવકીર્ણ. બરોબર મધ્યમાં આવેલ નરકાવાસને ઈન્દ્રક કહેવામાં આવે છે. દિશા વિદિશામાં આવેલા પંક્તિબદ્ધ નરકાવાસો પંક્તિગત કહેવાય છે. છવાયેલા પુષ્પોની જેમ છૂટા છૂટા આવેલા નરકાવાસો પુષ્પાવકીર્ણ કહેવાય છે. બધા ઈન્દ્રક નરકાવાસ ગોળ છે. પંક્તિગત નરકાવાસો ત્રિખૂણીયા, ચોખ્ખણીયા અને વાટલાકારે છે. પુષ્પાવકીર્ણ નરકાવાસો જુદા જુદા અશુભ આકારવાળા છે.
દરેક નરકાવાસની ઊંચાઈ ત્રણ હજાર યોજન છે. લંબાઇ-પહોળાઈમાં કેટલાક નરકાવાસી સંખ્યાતા યોજન તો કેટલાક અસંખ્યાતા યોજન છે. પ્રથમ નરકમાં આવેલ પહેલો સીમંતક નામનો ઈન્દ્રક નરકાવાસ ૪૫ લાખ યોજન લાંબો-પહોળો છે. સાતમી નરકમાં આવેલ અંતિમ અપ્રતિષ્ઠાન નામનો ઈન્દ્રક નરકાવાસ ૧ લાખ યોજન લાંબો-પહોળો છે. (૨)
નરકમાં લેશ્યા આદિની અશુભતાનિત્યક્ષમતપત્ન-પરિધામ-વેના-વિદિયા: આ રૂ-રૂ I
નારકો સદા અશુભતર વેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિકિયાવાળા હોય છે.
નરકના જીવોમાં વેશ્યા અતિ અશુભ, પગલવર્ણ આદિનો પરિણામ અશુભ, દેહઅશુભ, વેદના અતિશય, ઉત્તરવૈક્રિય શરીર અત્યંત અશુભ હોય છે.
(૧) અશુભલેશ્યા-નરકના જીવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પહેલી અને બીજી નરકના જીવોમાં કાપોતલેશ્યા