________________
અo ૨ સૂ૦ પ૨] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૧૭ જો પહોળું કરીને સૂકવવામાં આવે તો શીઘ સૂકાઇ જાય છે. (૨) ઘાસની ગંજીને બળતાં વાર લાગે, પણ જો ઘાસ છૂટું કરી સળગાવવામાં આવે તો શીધ્ર બળી જાય છે. (૩) આમ્રફળને ઝાડ ઉપર પાકવામાં જે સમય લાગે તેનાથી બહુ જ થોડા સમયમાં જ ઘાસની અંદર મૂકી પકાવી શકાય છે. તે જ પ્રમાણે અપવર્ય આયુષ્યને ઉપક્રમ લાગતાં બાકી રહેલી સ્થિતિના દલિકો એક અંતર્મુહૂર્ત માત્રમાં જ ભોગવાઈ જાય છે, અને આયુષ્ય પૂર્ણ થાય છે.
અહીં આયુષ્યના દલિકો ભોગવવાના રહી જાય છે એવું નથી. બધા જ દલિકો ભોગવાય છે. પણ દલિતો અલ્પકાળમાં ભોગવાય છે. (૧૨)