________________
૧૧૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૩ સૂ૦ ૧
ત્રીજો અધ્યાય
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તત્ત્વોની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. તત્ત્વોની શ્રદ્ધા માટે તત્ત્વોનો બોધ અનિવાર્ય છે. તત્ત્વોના બોધ માટે જીવાદિ તત્ત્વોનું નિરૂપણ અવશ્ય કરવું જોઇએ. આથી સૂત્રકાર ભગવંતે બીજા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ જીવતત્ત્વનું નિરૂપણ કર્યું. આ ત્રીજા અધ્યાયમાં પણ ભિન્ન ભિન્ન દષ્ટિએ જીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચાર ગતિને આશ્રયીને જીવોના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એમ ચાર ભેદો છે. તેમાંથી અહીં સર્વ પ્રથમ નારક જીવોનું વર્ણન શરૂ કરે છે.'
નરકની સાત પૃથ્વીનાં નામોरत्न-शर्करा-वालका-प-धम-तमो-महातमःप्रभा भमयो થનાડુ-વાતી-ડhપ્રતિષ: સાડથોડથ:પૃથુરા: II રૂ-૨ ||
રત્નપ્રભા, શર્કરાખભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, મહાતમપ્રભા એમ સાત ભૂમિઓ પૃથ્વીઓ છે. એ સાત પૃથ્વીઓ, ઘનાંબુ, વાત અને આકાશને આધારે રહેલી છે. ક્રમશઃ એક એકની નીચે આવેલી છે, અને ક્રમશઃ વધારે વધારે પહોળી છે.
પ્રથમ રત્નપ્રભા પૃથ્વી એક રાજ (સ્વંયભૂરમણ સમુદ્ર સુધી) પહોળી છે. બીજી પૃથ્વી અઢી રાજ પહોળી છે. ત્રીજી પૃથ્વી ચાર રાજ પહોળી છે. ચોથી પૃથ્વી પાંચ રાજ પહોળી છે. પાંચમી પૃથ્વી છ રાજ પહોળી છે. છઠ્ઠી પૃથ્વી સાડા છ રાજ પહોળી છે. સાતમી પૃથ્વી સાત રાજ પહોળી છે. આ પ્રમાણે પૃથ્વીઓ નીચે નીચે વધારે પહોળી હોવાથી ક્રમશઃ ચત્તા રાખેલા નાના છત્રની નીચે ચત્તા રાખેલા મોટા છત્રના જેવો તેમનો આકાર છે. ૧, અથવા બીજા અધ્યાય પછી ત્રીજા અધ્યાયનો સંબંધ આ પ્રમાણે છે. લોકની ઊંચાઇ ચૌદ રાજ છે. તેનો આકાર બંને હાથ કેડે રાખીને બે પગ પહોળા કરીને ટટ્ટાર ઊભેલા પુરુષ જેવો છે. આવા લોકના અપોલોક, તિછ(મધ્ય)લોક અને ઊર્ધ્વલોક એમ ત્રણ વિભાગ છે. તેમાં કેડથી પગ સુધીનો ભાગ તે અપોલોક છે. નાભિ પ્રદેશ તે તિછલોક છે. ઉપરનો ભાગ તે ઊર્ધ્વલોક છે. અહીં ઊર્ધ્વ-અધ: અને તિછલોકની વ્યવસ્થા મેરુપર્વતની મધ્યમાં રહેલા આઠ રુચકપ્રદેશની અપેક્ષાએ છે. એટલે કે ચકપ્રદેશની ઉપર ૯૦૦ યોજન અને નીચે ૯૦૦ યોજન એમ ૧૮૦૦ યોજન તિછલોક છે. તિછલોકની ઉપર ઊર્ધ્વલોક અને તિછલોકની નીચે અધોલોક છે. જયારે રાજ(
રજુ)ની અપેક્ષાએ વિચારીએ તો નીચેના સાત રાજમાં અધોલોક છે. ઉપરના સાત રાજમાં તિછલોક+ઊર્ધ્વલોક છે. આ ત્રીજા.
અધ્યાયમાં ક્રમશઃ અધોલોક વગેરે ત્રણ પ્રકારના લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. ૨. રાજનું રજુનું) માપ-નિમિષમાત્રમાં (આંખના પલકારામાં) એક લાખ યોજન જનાર દેવ છ મહિના સુધીમાં જેટલું અંતર કાપે તેટલાં અંતરને એક રાજ કહેવાય.