________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૫૨
ઉક્ત ચાર પ્રકારથી અન્ય જીવો અપવર્ત્ય કે અનપવર્ત્ય એમ બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અપવર્ત્ય આયુષ્યવાળા જીવોનું આયુષ્ય ઉપક્રમ લાગતાં ઘટી જાય છે.
૧૧૬
પ્રશ્ન અપવર્તનીય આયુષ્યને જો ઉપક્રમ ન લાગે તો ન પણ ઘટે કે અવશ્ય ઉપક્રમ લાગે અને ઘટે જ ?
ઉત્તર– અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે, તેથી તે અવશ્ય ઘટી જાય. આથી અપવર્તનીય આયુષ્ય સોપક્રમ જ હોય છે.
અપવર્તનીય
સોપક્રમ
આયુષ્ય
અનપવર્તનીય
સોપક્રમ
નિરુપક્રમ
પ્રશ્ન- ૧૦૦ વર્ષનું આયુષ્ય ૫૦ વર્ષમાં શી રીતે ભોગવી શકાય ? શું એક કલાકનું કાર્ય અડધા કલાકમાં થઇ શકે ?
ઉત્તર– હા, એક કલાકનું કાર્ય અડધા કલાકમાં તો શું એક મિનિટમાં પણ થઇ શકે. આ હકીકત આજના વૈજ્ઞાનિક સાધનોથી પણ સિદ્ધ થઇ શકે છે. પૂર્વે મનુષ્યો એક કલાકમાં જેટલો પંથ કાપી શકતા હતા તેનાથી પણ અધિક પંથ આજે વૈજ્ઞાનિક સાધનો-વિમાનો દ્વારા એક મિનિટમાં કાપી શકાય છે. એ પ્રમાણે અન્ય ઘણાં કાર્યો પૂર્વે જેટલા સમયથી થતાં હતાં તેનાથી ઘણાં જ ટૂંકા સમયમાં આજે વૈજ્ઞાનિક સાધનો દ્વારા કરી શકાય છે.
આ વિષયમાં શાસ્ત્રોમાં વ્યાવહારિક દૃષ્ટાંતો પણ અનેક આપ્યાં છે. જેમ કે—(૧) ભીનું વસ્ત્ર સંકેલીને સૂકવવામાં આવે તો સૂકાતાં વાર લાગે, પણ
૧. વિશેષાવશ્યકમાં ૨૦૫૫ની ગાથાની ટીકામાં અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે જ એવો નિયમ નથી. આથી અપવર્તનીય આયુષ્ય ઉપક્રમ લાગે તો ઘટી જાય, ઉપક્રમ ન લાગે તો ન પણ ઘટે એમ જણાવ્યું છે. પ્રસ્તુત સૂત્રના ભાષ્ય આદિમાં અપવર્તનીય આયુષ્ય અવશ્ય ઘટી જાય એમ જણાવ્યું છે.