SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અ૦ ૨ સૂ૦ પ૨]. શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૧૩ દૃષ્ટિથી છે. કારણ કે અહીં સંમૂર્ણિમ જીવોને નપુંસકવેદ હોય એમ કહ્યું છે. જો દ્રવ્યવેદની અપેક્ષાએ આ પ્રતિપાદન હોય તો ન ઘટી શકે. કારણ કે સંમૂર્ણિમ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પુરુષવેદ તથા સ્ત્રીવેદ એ બે દ્રવ્યવેદ હોય છે. (૫૦) દેવો નપુંસક નથી હોતા. અહીં દેવોને નપુંસકવેદ ન હોય એમ કહેવાથી પુરુષવેદ તથા સ્ત્રીવેદ હોય એમ સિદ્ધ થાય છે. સંમૂછિમ, નારક અને દેવ સિવાયના જીવોમાં (ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં) ત્રણે વેદ હોય છે. (૫૧) આયુષ્યના ભેદ અને તેના સ્વામી વિષે વિચાર औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवायुषः ॥ २-५२ ॥ ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા એ ચાર પ્રકારના જીવોનું આયુષ્ય અનપવર્લ=ન ઘટે તેવું હોય છે. ઔપપાતિક એટલે ઉપપાત રૂપ જન્મથી ઉત્પન્ન થનારા, અર્થાત્ દેવો અને નારકો. ચરમદેહી એટલે વર્તમાન ભવમાં જ મોક્ષમાં જનારા જીવો. તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ વગેરે ઉત્તમ પુરુષો છે. અઢીદ્વીપના યુગલિક' મનુષ્ય-તિર્યંચો અને અઢી દ્વીપની બહાર પૂર્વકોટિથી અધિક આયુષ્યવાળા તિર્યંચો અસંખ્યવર્ષ આયુષ્યવાળા હોય છે. પૂર્વે જન્મ સંબંધી ઘણી હકીકત કહી. જન્મ થતાં શરીરની પ્રાપ્તિ થાય છે. શરીર સાથે લિંગ પણ પ્રાપ્ત થાય છે. આથી જન્મ સંબંધી હકીકત જણાવ્યા બાદ શરીર અને લિંગ સંબંધી હકીકત પણ જણાવી દીધી. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ વિના જન્મ ન થાય. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ આયુષ્યની પૂર્ણસ્થિતિ ભોગવીને જ થાય કે પૂર્ણસ્થિતિ ભોગવ્યા વિના પણ થાય એ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત સૂત્રમાં કરવામાં આવ્યું છે. આયુષ્યના બે ભેદ છે– અપવર્ય અને અનપવર્ચ. ઉપક્રમથી જે આયુષ્યની અપવર્તન થઇ શકે તે અપવર્ચ. ઉપક્રમ એટલે અપવર્તનાનું ૧. અઢીલીપમાં પ૬ અંતર્તાપી, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ હૈમવત, ૫ પૈરણ્યવત, ૫ હરિવર્ષ, પરણ્યક-આટલા ક્ષેત્રો અકર્મભૂમિ છે અને તેમાં યુગલિક મનુષ્ય-તિર્યંચો હોય છે. કર્મભૂમિમાં સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમા એ ત્રણ આરામાં યુગલિક મનુષ્ય-તિર્યંચો હોય છે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy