________________
૧૧૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૨ સૂ૦ ૫૦-૫૧ સ્ફટિક જેવું સુંદર શરીર બનાવે છે. મહાવિદેહ આદિ ક્ષેત્રમાં દૂર રહેલા તીર્થંકર ભગવંતની પાસે ઔદારિક શરીરથી ન જઈ શકાય. આથી ચૌદ પૂર્વધર મુનિ દૂર રહેલા તીર્થકરના ચરણોમાં જવા આહારક શરીરની રચના કરે છે. ઔદારિક શરીર જ્યાં રહ્યું હોય ત્યાંથી આરંભીને આહારક શરીર જ્યાં ગયું હોય ત્યાં સુધી અપાંતરાલમાં પણ આત્મપ્રદેશો સંલગ્ન હોય છે. કાર્ય પૂર્ણ થતાં તે શરીરનો ત્યાગ કરે છે. ત્યારે આત્મપ્રદેશોનો મૂળ ઔદારિક શરીરમાં સમાવેશ થઈ જાય છે. આ શરીર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. આ શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી કોઈ વસ્તુ તેની ગતિમાં પ્રતિઘાત કરતી નથી. (૪૯)
વેદનું લિંગનું પ્રતિપાદનनारक-संमूच्छिनो नपुंसकानि ॥२-५० ॥ ન દેવા: જે ૨-૫૨ છે નારક અને સંમૂર્ણિમ જીવો નપુંસક છે. દેવો નપુંસક નથી હોતા.
વેદના દ્રવ્યવેદ અને ભાવવેદ એમ બે ભેદો છે. જીવોના શરીરનો બાહ્ય આકાર દ્રવ્યવેદત્રલિંગ છે. મનુષ્યાદિ જીવોના શરીરમાં સામાન્યથી બાહ્ય આકાર સમાન હોવા છતાં અમુક અમુક થોડી ઘણી વિશેષતાઓ હોય છે. આ વિશેષતાઓ નામકર્મના ઉદયથી થાય છે. આ વિશેષતાઓ સામાન્યથી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. એ વિશેષતાઓ જીવોના ભેદને ઓળખવામાં કારણ=ચિહ્ન હોવાથી લિંગ તરીકે ઓળખાય છે. શરીરની એ વિશેષતાઓને આશ્રયીને જીવોના ત્રણ વિભાગ પડે છે. પુરુષ, સ્ત્રી અને નપુંસક. શરીરના આકારની વિશેષતાના કારણે જીવને પુરુષાદિ તરીકે સંબોધવામાં આવે છે. જીવને પુરુષાદિ તરીકે ઓળખાવનાર શરીરનો બાહ્ય આકાર તે દ્રવ્યવેદ=લિંગ છે. જે આકારથી જીવ પુરુષરૂપે ઓળખાય તે દ્રવ્યપુરુષવેદ. જે આકારથી જીવ સ્ત્રીરૂપે ઓળખાય તે દ્રવ્યસ્ત્રીવેદ. જે આકારથી જીવ નપુંસકરૂપે ઓળખાય તે દ્રવ્યનપુંસકવેદ.
મૈથનની વિષય સેવનની ઈચ્છા એ ભાવવેદ લિંગ છે. ભાવવેદ મોહનીયકર્મના ઉદયથી થાય છે. સ્ત્રી સાથે વિષયસેવનની ઇચ્છા તે પુરુષવેદ. પુરુષ સાથે વિષય સેવનની ઇચ્છા એ સ્ત્રીવેદ. પુરુષ-સ્ત્રી ઉભય સાથે વિષય સેવનની ઇચ્છા તે નપુંસકવેદ. અહીં વેદનું પ્રતિપાદન ભાવવંદની