________________
૧૦૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૪૪
નિરોધ એ અર્થ છે. એ દૃષ્ટિએ વૈક્રિય અને આહારક શરીર અપ્રતિઘાતી નથી. કારણ કે તેમની ગતિ લોકના અમુક ભાગમાં જ (=ત્રસનાડીમાં જ) થાય છે. જ્યારે તૈજસ અને કાર્યણની ગતિ સંપૂર્ણ લોકમાં થઇ શકે છે. (૪૧)
તૈજસ અને કાર્યણનો જીવ સાથે અનાદિથી સંબંધ છે. અન્ય ત્રણ શરીરોનો સંબંધ અનાદિથી નથી. યદ્યપિ અવ્યવહારરાશિવાળા જીવોને ઔદારિક શરીર હોવાથી ઔદારિક શરીરનો સંબંધ પણ અનાદિથી છે. પણ અહીં અનાદિ સંબંધનો અર્થ માત્ર અનાદિ સંબંધ રૂપ નથી, કિંતુ અનાદિથી સંબંધ હોવા સાથે નિત્ય સંબંધ પણ જોઇએ. અર્થાત્ જીવ સંસારમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી તેનો જરા પણ વિયોગ ન થાય=સદા રહે એવો અર્થ છે. આ અર્થ પ્રમાણે ઔદારિક શરીર અનાદિ સંબંધવાળું નથી. કારણ કે · જીવ જ્યારે મૃત્યુ પામી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે ત્યારે અંતરાલ ગતિમાં ઔદારિક શરીરનો વિયોગ થાય છે. જ્યારે તૈજસ-કાર્યણ શરીર તો અંતરાલ ગતિમાં પણ હોય છે. આ બે શરીરનો વિયોગ મોક્ષ થાય ત્યારે જ થાય છે. (૪૨)
તૈજસ અને કાર્મણ શરીર સંસારી સર્વ જીવોને સદા હોય છે. ઔદારિક વગેરે અન્ય શરીર સંસારી કોઇ જીવને હોય કોઇ જીવને ન પણ હોય. (૪૩) એક જીવમાં એકીસાથે સંભવતાં શરીરો–
तदादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः ॥ २-४४ ॥ તાવીનિ એટલે તૈજસ-કાર્પણ એ બે શરીરો જેમની આદિમાં (પ્રારંભમાં) છે તે શરીરો એક જીવને એકીસાથે બેથી ચાર હોઇ શકે છે. અર્થાત્ ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઇ શકે છે. પાંચ શરીર એકી સાથે કદી ન સંભવે. જ્યારે બે શરીર હોય ત્યારે તૈજસ અને કાર્યણ, ત્રણ શરીર હોય ત્યારે તૈજસ, કાર્યણ અને ઔદારિક અથવા તૈજસ, કાર્પણ અને વૈક્રિય, ચાર શરીર હોય ત્યારે તૈજસ, કાર્પણ, ઔદારિક અને વૈક્રિય અથવા તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. આથી એ સિદ્ધ થયું કે વૈક્રિય અને આહારક એ બે શરીર એકી સાથે ન હોય.
પ્રશ્ન વૈક્રિય અને આહારક એ બે શરીરો એકીસાથે કેમ ન હોય ? ઉત્તર– આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને જ હોય છે. આથી વૈક્રિય અને આહા૨ક એ બે શરીરોની લબ્ધિ=શરીર રચવાનું સામર્થ્ય ચૌદ પૂર્વધર