________________
૨૦ ૨ સૂ૦ ૪૦-૪૧-૪૨-૪૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૦૭
જેના બે વિભાગ ન થઇ શકે તેવો અંતિમ સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ એમ પ્રદેશશબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પણ અહીં પ્રદેશશબ્દનો તે અર્થ નથી. અહીં પ્રદેશશબ્દનો સ્કંધ અર્થ છે. અંતિમ સૂક્ષ્મ ભાગરૂપ પ્રદેશો તો અનંતગુણા થઇ જાય. ઔદારિક શરીરમાં જેટલા પ્રદેશો=સ્કંધો હોય છે તેનાથી અસંખ્યગુણ પ્રદેશો વૈક્રિય શરીરમાં વધારે હોય છે, તેનાથી આહારક શરીરમાં અસંખ્યગુણ પ્રદેશ વધારે હોય છે. આનું કારણ એ છે કે ઉત્તરોત્તર શરીર વધારે ધન છે. સમાન ક્ષેત્રમાં રહેલા રૂ કરતાં સોનામાં પુદ્ગલો વધારે હોય છે. કારણ કે રૂ પોલું છે અને સુવર્ણ ધન છે. તેમ પ્રસ્તુતમાં ઔદારિકથી વૈક્રિય શરીર વધારે ઘન છે. આ બાબત ઉપરના સૂત્રમાં આવી ગઇ છે. (૩૯) તૈજસ-કાર્પણ શરીરમાં પ્રદેશોની વિચારણા— અનન્તમુળે રે ॥ ૨-૪૦ ॥
આહારક પછીના બંને શરીરોના પ્રદેશો=સ્કંધો ક્રમશઃ અનંતગુણ છે. આહારક શરીરના પ્રદેશોથી તૈજસ શરીરના પ્રદેશો અનંતગુણ છે. તૈજસથી કાર્યણ શરીરના પ્રદેશો અનંતગુણ છે. અહીં પણ ઉત્તરોત્તર શરીરની ઘનતા જ કારણ છે. (૪૦)
તૈજસ-કાર્યણ શરીરની ત્રણ વિશેષતાઓ— અતિયાતૈ ।। ૨-૪૬ ॥ અનામિંગ્યે ૪ ॥ ૨-૪૨ ॥
સર્વસ્ય ॥ ૨-૪૨ ॥
તૈજસ અને કાર્યણ શરીર પ્રતિઘાત રહિત છે.
તૈજસ અને કાર્પણ શરીરનો જીવ સાથે અનાદિથી સંબંધ છે.
તૈજસ અને કાર્યણ શરીર સંસારી સર્વ જીવોને સદા હોય છે. તૈજસ અને કાર્યણ શરીર પ્રતિઘાતથી રહિત છે. આ બે શરીર કોઇ પણ જાતના પ્રતિઘાત (રુકાવટ) વિના સંપૂર્ણ લોકમાં ગમે ત્યાં જઇ શકે છે. ધનવસ્તુ પણ તેમને અટકાવી શકતી નથી.
યઘપિ વૈક્રિય અને આહારક શરીરને પણ કોઇ વસ્તુ અટકાવી શકતી નથી. એથી એ દૃષ્ટિએ એ બે શરીર પણ અપ્રતિઘાતી છે. પણ અહીં પ્રતિઘાતનો અર્થ માત્ર ગતિનો નિરોધ નથી, કિંતુ સંપૂર્ણ લોકમાં ગતિનો