________________
૧૦૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૨ સૂ૦ ૩૮-૩૯ પ્રકાર છે. ઉષ્ણ તેજોલબ્ધિના ઉપયોગથી અન્ય જીવ ઉપર અપકાર થાય છે અને શીત તેજલબ્ધિના ઉપયોગથી અન્ય જીવ ઉપર ઉપકાર થાય છે. જેમકે વૈશિકાયમ તાપસે ગોશાલાને મારવા તેના ઉપર ઉષ્ણ તેજોવેશ્યા મૂકી, પણ મહાવીર ભગવાને શીત તેજોલેશ્યા મૂકીને તેને બચાવી લીધો.'
(૫) કાર્પણ– આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેક થયેલાં કર્મોનો સમૂહ એ જ કાર્મણ શરીર છે. જીવ દરેક સમયે કર્મબંધ કરે છે. આત્મા સાથે બંધાયેલા આ કર્મો એ જ કામણ શરીર.
અને કાર્પણ આ બે શરીર સંસારી દરેક જીવને અવશ્ય હોય છે. જીવનો સંસાર અનાદિથી હોવાથી આ શરીર પણ અનાદિથી છે. ભવાંતરમાં પણ આ બે શરીર સાથે જ આવે છે. મોક્ષ થાય ત્યારે જ આ બે શરીર છૂટે છે. (૩૭)
પાંચ શરીરોમાં સૂક્ષ્મતાની વિચારણાપર પર સૂર્યમ્ | ૨-૩૮ છે આ પાંચ શરીરમાં પૂર્વના શરીરથી પછી પછીનું શરીર વધારે સૂક્ષ્મ છે.
ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિયથી આહારક શરીર સૂક્ષ્મ છે. આહારકથી તૈજસ શરીર સૂક્ષ્મ છે. તૈજસથી કાર્પણ શરીર સૂક્ષ્મ છે. અહીં સૂક્ષ્મતાનો અર્થ અલ્પ પરિમાણ એવો નથી, કિન્તુ ઘનતા અર્થ છે. ઘનતા એટલે અધિક પગલોનો અલ્પ પરિમાણમાં સમાવેશ. જેમ જેમ અધિક પુદ્ગલોનો અલ્પ અલ્પ પરિણામમાં સમાવેશ તેમ તેમ ઘનતા વધારે. ઔદારિક આદિ પાંચ શરીરોમાં ઉત્તરોત્તર શરીરમાં ઘનતા અધિક હોવાથી ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ છે. આનું કારણ એ છે કે એ શરીરો જે સ્કંધોમાંથી બનેલાં છે તે સ્કંધો અધિક અધિક પુદ્ગલ દ્રવ્યોવાળા છે. કોઈ પણ વસ્તુમાં જેમ જેમ પુદ્ગલો વધારે તેમ તેમ તે વધારે ઘન બને છે. (૩૮)
શરીરોમાં પ્રદેશોની વિચારણાप्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥ २-३९ ॥
તૈજસની પહેલાંના એટલે કે આહારક સુધીનાં શરીરો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્ય ગુણ છે. ૧. ૪૩મા અને ૪૯મા સૂત્રમાં ભાષ્ય અને ટીકા.