________________
અ૦ ૨ સૂ૦ ૩૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૦૧ ઉપપાતજન્મ એટલે ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ. જન્મના આ ત્રણ ભેદ જન્મસ્થાનના ભેદની અપેક્ષાએ છે. (૩૨)
યોનિના ભેદોસચિત્ત-શીત-સંતા: સંત મિશ્રાવા :તઘનય: ૨-૩રૂ I
જીવોની યોનિઓ સચિત્ત, અચિત્ત અને મિશ્ર=સચિત્તાચિત્ત એમ ત્રણ પ્રકારે, તથા શીત, ઉષ્ણ અને મિશ્ર=શીતોષ્ણ એમ ત્રણ પ્રકારે, તથા સંવૃત, અસંવત અને મિશ્ર સંતાસંવત એમ ત્રણ પ્રકારે હોય છે.
યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. જ્યાં જીવો ઉત્પન્ન થાય તે સ્થાનને યોનિ કહેવામાં આવે છે. અર્થાત જન્મનું સ્થાન તે યોનિ. જે યોનિ સજીવ હોય તે સચિત્ત, જે યોનિ જીવ રહિત હોય તે અચિત્ત, જે યોનિ અમુક અંશે સજીવ હોય અને અમુક અંશે જીવ રહિત હોય તે મિશ્ર સચિત્તાચિત્ત. શીત એટલે ઠંડી. ઉષ્ણ એટલે ગરમ. અમુક અંશે ઠંડી અને અમુક અંશે ગરમ તે શીતોષ્ણ.
સંવૃત એટલે ઢંકાયેલી. અસંવૃત એટલે ખુલ્લી. અમુક અંશે ઢંકાયેલી અને અમુક અંશે ખુલ્લી તે મિશ્ર=સંવૃતાસંવૃત.
(૧) સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કોને કઈ યોનિ હોય- દેવનારકોને અચિત્ત, ગર્ભજ પ્રાણીઓને મિશ્ર, શેષ પ્રાણીઓને યથાસંભવ ત્રણ પ્રકારની યોનિઓ હોય છે. ગર્ભજ પ્રાણીઓને આત્મપ્રદેશોને સ્પર્શેલ શુક્ર અને શોણિત સચિત્ત હોય છે, અને આત્મપ્રદેશોને નહિ સ્પર્શેલ તે બંને અચિત્ત હોય છે. જ્યારે કેટલાકના મતે શુક્ર અચિત્ત અને શોણિત સચિત્ત છે. અન્ય આચાર્યના મતે શુક્ર-શોણિત બંને અચિત્ત અને ઉત્પત્તિસ્થાન રૂપ યોનિપ્રદેશ સચિત્ત છે. માટે ગર્ભજ તિર્યચ-મનુષ્યોની યોનિ મિશ્ર કહેવાય છે.
(૨) શીત, ઉષ્ણ અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કોને કઇ યોનિ હોયદેવ અને ગર્ભજ મનુષ્ય-તિર્યંચોને શીતોષ્ણ મિશ્ર), તેઉકાયને ઉષ્ણ યોનિ હોય છે. નારકોમાં પહેલી ત્રણમાં ઉષ્ણ, ચોથી-પાંચમીમાં કેટલાક નરકાવાસોમાં શીત અને કેટલાક નરકાવાસોમાં ઉષ્ણ, છઠ્ઠી-સાતમીમાં શીત યોનિ હોય છે. નારકોમાં સામાન્યથી શીત અને ઉષ્ણ આ બે પ્રકારની યોનિઓ હોય છે. ટીકામાં નારકોને મિશ્રયોનિ પણ કહી છે. પરંતુ તે મનુષ્યાદિની જેમ એક નાનકજીવની અપેક્ષાએ નહિ, કિંતુ ચોથી-પાંચમી