SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શીતાધિગમસૂત્ર ૦િ૨ ૧૦૩૧-૩૨ પકડીને ઇરસ્થાને લઈ જવામાં આવે છે તેમ જીવને ઉત્પત્તિસ્થાને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર લઈ જાય છે. (૩૦) પરભવમાં જતાં આહારના અભાવના કાળ િત વાનાદાર ૨-૩ | પરભવ જતાં અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે=આહાર લેતો નથી. જીવ જ્યાંથી શરીરને છોડીને છૂટે છે ત્યાં છૂટતાં જ તે શરીર લાયક આહાર લે છે, અને જ્યાં જાય છે ત્યાં પણ પહોંચતાની સાથે જ તે શરીરને યોગ્ય આહાર લે છે. આથી જ્યારે જીવ એક સમયમાં કે બે સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે ત્યારે તે આહાર વિના નથી રહેતો. જ્યારે બે સમય લાગે છે ત્યારે પહેલાં સમયે છૂટતાં આહાર લે છે અને બીજા સમયે પહોંચતા જ આહાર લે છે. બેથી વધારે જેટલા સમય લાગે તેટલા સમય જીવ અનાહારક આહાર રહિત હોય છે. જો અંતરાલ ગતિમાં ત્રણ સમય લાગે તો એક સમય અનાહારક હોય છે, અને ચાર સમય લાગે તો બે સમય અનાહારક હોય છે. અંતરાલ ગતિમાં વધારેમાં વધારે ચાર સમય લાગે છે તે આપણે ૨૯ભા સૂત્રમાં વિચારી ગયા છીએ. આથી અહીં આ સૂત્રમાં અંતરાલગતિમાં એક કે બે સમય અનાહારક હોય એમ કહ્યું છે. યદ્યપિ અંતરાલગતિમાં પાંચ સમય પણ થઈ જાય, તેથી ત્રણ સમય અનાહારક હોય. પણ તેવું ક્યારેક જ બનતું હોવાથી અહીં તેની વિવલા કરવામાં આવી નથી. (૩૧). જન્મના પ્રકારોસંપૂઈન-મપિતામ | ૨-રૂર સમર્થન, ગર્ભ અને ઉપપાત એમ ત્રણ પ્રકારે જન્મ છે. આ ત્રણ પ્રકારમાંથી કોઈ એક પ્રકારે જન્મ થાય છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થલ દેહને યોગ્ય પુદગલોનું સર્વપ્રથમ ગ્રહણ તે જન્મ. સંપૂઈનજન્મ એટલે સ્ત્રી-પુરુષના સંબંધ વિના નવીન ઔદારિક શરીરને યોગ્ય પગલોનું સર્વપ્રથમ ગ્રહણ. ગર્ભજન્મ એટલે સ્ત્રી-પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલા શુક્ર-શોણિતના પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy