SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૩ શબ્દથી વાચ્ય ઘટાદિ પદાર્થનું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. જેમ શબ્દજ્ઞાન દ્વારા શબ્દથી વાઓ ઘટાદિ પદાર્થોનું જ્ઞાન થાય છે, તેમ ઘટાદિ પદાર્થના જ્ઞાન દ્વારા ઘટાદિ પદાર્થના વાચક શબ્દનું જ્ઞાન પણ થાય છે. આ જ્ઞાન પણ, અર્થાત ઘટાદિ પદાર્થના જ્ઞાન દ્વારા ઘટાદિ પદાર્થના વાચક શબ્દનું જ્ઞાન પણ, શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મુખ્યત્વે મનથી થાય છે. અર્થાત્ જેમ સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન કરવામાં ઈન્દ્રિયની અને મનવાળાઓને મન અને ઈન્દ્રિય એ બેની જરૂર પડે છે, તેમ શ્રુતજ્ઞાન કરવામાં મુખ્યત્વે ઇન્દ્રિયની જરૂર પડતી નથી. કારણ કે ઘટાદિ શબ્દો સાંભળવામાં કે લખેલા જોવામાં અને ઘટાદિ પદાર્થો જોવામાં પ્રથમ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. ત્યારબાદ શ્રુતાનુસારી વાચ્ય-વાચક ભાવ આદિ મન સંબંધી અવગ્રહાદિ પ્રવર્તે છે. તે અવગ્રહાદિ શ્રુતજ્ઞાન છે. માટે શ્રુતજ્ઞાનમાં મનની મુખ્યતા છે. તાત્પર્ય એ આવ્યું કે ઈન્દ્રિયો દ્વારા મુખ્યત્વે મતિજ્ઞાન અને દ્રવ્યશ્રુતજ્ઞાન થાય છે. જયારે મન દ્વારા મતિ અને ભાવથુત એ બંને જ્ઞાન થાય છે. અહીં સૂત્રમાં મનનો વિષય શ્રુતજ્ઞાન છે એમ કહ્યું તે મુખ્યત્વે ભાવકૃતની અપેક્ષાએ છે. કેમ કે દ્રવ્યશ્રુત તો ઇન્દ્રિયોનો વિષય થઈ શકે છે. ઇન્દ્રિયોનો વિષય કેવળ રૂપી પદાર્થો છે. જ્યારે મનનો વિષય રૂપી-અરૂપી સઘળા પદાર્થો છે. તથા અહીં ભાવશ્રુત પણ શબ્દોલ્લેખ સહિત વિશેષ પ્રકારનું સમજવું. કારણ કે શબ્દોલ્લેખ રહિત સામાન્ય શ્રત મનરહિત એકેન્દ્રિયને પણ હોય છે. (પ્રસ્તુત સૂત્ર ભાષ્યટીકા તથા વિશેષા૦ ભાવ ગા) ૧૦૩ની ટીકા). (૨૨) એક ઈન્દ્રિય કોને હોય છે તેનું નિરૂપણ– વાદ્ધનનામેવ ૨-૨૩ | વાયુ સુધીના જીવોને એક ઇન્દ્રિય હોય છે. પૃથ્વીકાય, અકાય, "વનસ્પતિકાય, તેઉકાય, વાઉકાય એ પાંચ ૧. ન્યુઝીલેન્ડમાં પોલીસને તાલીમ આપતી શાળામાં ૧૯૬થી પોલિગ્રાફ રેકોર્ડિંગ ટ્રાવેલીંગની મદદથી ક્લીવ બેકસ્ટરે કરેલા અખતરા પરથી એમ ચોક્કસ જણાયું છે કે દરીયા કે તળાવમાં માછલી કે બીજો કોઈ જીવ મફતમાં હોય તો છોડને દુઃખ થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદાલક ઋષિ તેના પુત્રને કહે છે–વૃક્ષોમાં પણ જીવ છે, પણ પશુઓની જેમ છોડને પણ લાગણી હોય છે એમ સર જગદીશચંદ્ર બોઝે પહેલી જ વાર વૈજ્ઞાનિક રીતે પુરવાર કર્યું હતું. (મુંબઈ સમાચાર, તા. ૨૪-૧૦-૧૯૭૬)
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy