________________
૯૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૦ પણ જો નવયોજનથી અધિક દૂરથી પુદ્ગલો આવે તો તીવ્ર ઘાણેન્દ્રિય શક્તિથી પણ ગંધ ન જાણી શકાય. કારણ કે નવયોજનથી અધિક દૂરથી આવેલા પુદ્ગલોનો પરિણામ એટલો મંદ થઈ જાય છે કે જેથી તે પુદ્ગલો પોતાના વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, તથા ઇન્દ્રિયોમાં પણ સ્વભાવથી જ એ પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ હોતી નથી. આ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો માટે પણ સમજવું.
આંખ સિવાય ચાર ઇન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા દૂર રહેલા પોતાના વિષયને જાણી શકે છે. ચક્ષુ જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ જેટલા દૂર રહેલા રૂપને જાણી શકે છે. એથી જચમુચક્ષુમાં રહેલા મેલ, અંજન વગેરેને જોઈ શકતી નથી. (પ્રવચન સારોદ્ધાર ટીકા વગેરે) (૧૯)
ઇન્દ્રિયોના નામપન-રસ--ચા -શોઝાનિ || ૨-૨૦ | સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્રએમ પાંચ ઈન્દ્રિયોનાક્રમશઃ નામો છે.
સ્પર્શને એટલે ત્વચા-ચામડી. રસન એટલે જિલ્લા. ધ્રાણ એટલે નાક. ચક્ષુ એટલે આંખ. શ્રોત્ર એટલે કાન.
ઇન્દ્રિયોના ક્રમમાં હેતુ–
પ્રશ્ન- અહીં ઇન્દ્રિયોનાં નામ સ્પર્શન આદિ ક્રમથી જણાવવામાં કોઈ વિશેષ હેતુ છે કે સામાન્યથી જણાવવામાં આવેલ છે ?
ઉત્તર-સ્પર્શન આદિ ક્રમથી ઇન્દ્રિયોના નામો જણાવવામાં હેતુ રહેલો છે. જેમ જેમ અધિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે, તેમ તેમ ચૈતન્યનો અધિક વિકાસ થાય છે. અધિક ઇન્દ્રિયોની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે. જે જીવો એકેન્દ્રિય હોય, અર્થાત એક ઇન્દ્રિયવાળા હોય તેમને સ્પર્શને ઇન્દ્રિય હોય છે. સ્પર્શનેન્દ્રિય દરેક જીવને અવશ્ય હોય છે. સંસારી જીવોમાં રસન આદિ ઇન્ડિયન હોય એવું બને, પણ સ્પર્શન ઇન્દ્રિય ન હોય એવું ન જ બને. આથી અહીં પ્રથમ સ્પર્શનેન્દ્રિયનો નિર્દેશ કર્યો છે. એકેન્દ્રિય જીવ જ્યારે બેઇન્દ્રિય બને ત્યારે તેને સ્પર્શન અને રસન એ બે ઇન્દ્રિય હોય છે. સ્પર્શનેન્દ્રિય પછી રસનેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. માટે સ્પર્શન પછી રસન ઇન્દ્રિયનો નિર્દેશ છે. બેઈન્દ્રિય જીવ જયારે તે ઇન્દ્રિય બને છે ત્યારે સ્પર્શન, રસન અને ઘાણ=નાક એ ત્રણ ઇન્દ્રિયો હોય છે.