________________
८८
નિવૃત્તિ
દ્રવ્ય
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ઇન્દ્રિય
ઉપકરણ
(ધારની શક્તિના સ્થાને)
બાહ્ય
(તલવારના સ્થાને)
[અ૦ ૨ સૂ૦ ૧૮
ભાવ
લબ્ધિ
ઉપયોગ
(તલવાર ચલાવવાની (તલવાર ચલાવવાની કળાના સ્થાને) કળાના ઉપયોગના સ્થાને)
અત્યંતર (તલવારની ધારના સ્થાને)
પ્રશ્ન—– નિવૃત્તિ અને ઉપકરણ એ ઇન્દ્રિય કહેવાય. કારણ કે જેનાથી જ્ઞાનબોધ થાય તે ઇન્દ્રિય. બોધમાં નિવૃત્તિ અને ઉપકરણ સહાયક છે, પણ લબ્ધિ અને ઉપયોગને ઇન્દ્રિય કેમ કહેવાય ? કારણ કે તે બંને જ્ઞાનસ્વરૂપ છે.
ઉત્તર– લબ્ધિની સફળતા ઉપયોગના આધારે છે. લબ્ધિ ગમે તેટલી મળવા છતાં જે તેનો ઉપયોગ ન હોય તો કામ નથી આવતી. લબ્ધિનો=મળેલી શક્તિનો ઉપયોગ કરવામાં ઇન્દ્રિયોની જરૂર પડે છે. ઇન્દ્રિયો વિના ઉપયોગ થઇ શકતો નથી. આમ લબ્ધિ અને ઉપયોગમાં ઇન્દ્રિયો કારણ હોવાથી ‘કાર્યમાં કારણનો ઉપચાર કરીને' લબ્ધિ અને ઉપયોગને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે.
કોઇપણ વસ્તુનો બોધ કરવો હોય તો નિવૃત્તિ આદિ ચારેય ઇન્દ્રિયોની જરૂર પડે છે. એકેય વિના ન ચાલી શકે.
જેમ તલવાર હોય તો તેની ધાર અને ધારની શક્તિ હોય તેમ, નિવૃત્તિ હોય તો ઉપકરણ અને ઉપયોગ હોય. કારણ કે ઉપકરણનો (શક્તિનો) આશ્રય નિવૃત્તિ હોવાથી નિવૃત્તિ વિના ઉપકરણ ન હોય. ઉપકરણથી ઉપયોગ થતો હોવાથી ઉપકરણ વિના ઉપયોગ પણ ન હોય. નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ એ ત્રણે લબ્ધિ હોય તો જ હોય, લબ્ધિવિના એ ત્રણે ન હોય. આથી ૧. નિવૃત્તિને બાહ્ય-અત્યંતર ભેદ વિના એક ગણવાથી ચાર થાય.
૨. બકુલવૃક્ષ આદિ અપવાદને છોડીને આ નિયમ છે. બકુલવૃક્ષને નિવૃત્તિ વિના પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ હોય છે.
૩. લબ્ધિ વિના એ ત્રણ ન હોય એ નિયમ છે. પણ લબ્ધિ હોય તો એ ત્રણે હોય જ એવો નિયમ નથી. બકુલવૃક્ષને પાંચે ઇન્દ્રિયોની લબ્ધિ હોવા છતાં નિવૃત્તિ નથી.