________________
८४
શ્રીતવાથધિગમસૂત્ર (અ) ૨ સૂ૦૧૨-૧૩ લેશમાત્ર પણ વિચાર કરી શકતા નથી, અને વર્તમાનકાળનો પણ હિતાહિતની દષ્ટિએ સ્પષ્ટવિચાર કરી શકતા નથી. આથી જસિદ્ધાંતમાં, જેમઅલ્પધનવાળા ધનવાન અને સામાન્ય રૂપવાળા રૂપવાન નથી કહેવાતા, પરંતુ ઘણા ધનવાળા ધનવાન અને સુંદર રૂપવાળા રૂપવાન કહેવાય છે તેમ, અલ્પ દ્રવ્યમનવાળાને મનવાળા ન કહેતાં મન વગરના કહ્યા છે. વૃદ્ધ પુરુષને ચાલવામાં લાકડીના ટેકાની જેમ દ્રવ્યમન વિચાર કરવામાં સહાયક છે. શક્તિ હોવા છતાં વૃદ્ધ પુરુષ લાકડીના ટેકા વિના ચાલી શકતો નથી, અથવા જેમ સારી આંખવાળો પણ મનુષ્ય પ્રકાશ વિના જોઈ શકતો નથી, તેમ જીવ વિચાર કરવાની આત્મિકશક્તિ હોવા છતાં દ્રવ્યમન વિના મનોવર્ગણાના પુદ્ગલો વિના વિચાર કરી શકતો નથી. સમનસ્ક સંજ્ઞી જીવો મનોવણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમની મદદથી વિચાર કરે છે. અમનસ્ક=અસંજ્ઞી જીવો વિશિષ્ટ શક્તિના અભાવે મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શકતા નથી.
સિદ્ધ જીવો દ્રવ્ય-ભાવ બંને પ્રકારના મનના અભાવથી અમનસ્ક હોય છે. (૧૧)
બીજી રીતે સંસારી જીવના બે ભેદોસંસારિક-સ્થાવર: | ૨-૧૨ |
ત્રસ (=ગતિ કરનાર) અને સ્થાવર (=ગતિ નહિ કરનાર) એમ બે પ્રકારે સંસારના જીવો છે.
શાસ્ત્રોમાં ત્રસ અને સ્થાવરની બે વ્યાખ્યાઓ કરવામાં આવી છે.
એક વ્યાખ્યા- જે પ્રાણીઓ ગતિશીલ છે તે ત્રસ, અને જે પ્રાણીઓ સ્થિતિશીલ છે તે સ્થાવર.
બીજી વ્યાખ્યા જે જીવોને સ્થાવર નામકર્મનો ઉદય છે તે સ્થાવર અને જે જીવોને ત્રસ નામકર્મનો ઉદય છે તે ત્રસ. આ બે વ્યાખ્યાઓમાં અહીં પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ અને સ્થાવર ભેદો છે. (૧૨)
સ્થિતિશીલ જીવોપુવ્યવતિય: સ્થાવર: | ૨-૧૩ :
પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવો સ્થાવર છે. કારણ કે તેઓ સ્થિતિશીલ છે.