________________
અo ૨ સૂ૦૧૦-૧૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૮૩ ઉત્તર– જ્ઞાનોપયોગમાં પદાર્થનો વિશેષ બોધ થતો હોવાથી પદાર્થનો ભેદ જણાય છે, અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાય છે, અને એથી આ જ્ઞાન સાચું છે અને આ જ્ઞાન ખોટું છે એમ ભેદ પડે છે. દર્શનોપયોગમાં પદાર્થનો સામાન્ય બોધ થતો હોવાથી ભેદ જણાતો નથી, અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાતો નથી અને એથી આ દર્શન સાચું અને આ દર્શન ખોટું એમ ભેદ પડતો નથી. (૯)
જીવોના મુખ્ય બે ભેદોસંસારિતો પુશ ૨-૧૦ || સંસારી અને મુક્ત એમ જીવોના બે ભેદો છે.
જે જીવો કર્મવશ બનીને નરક આદિ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે તે સંસારી. જે જીવો કર્મના બંધનથી મુક્ત બનીને મોક્ષમાં સ્થિર છે તે મુક્ત. (૧૦)
સંસારી જીવોના બે ભેદોસપનાહ્યાડમના છે ૨-૨૨ મનવાળા(=સંશી) અને મનરહિત(=અસંશી) એ બે પ્રકારના જીવો છે.
મનવાળા જીવો સંજ્ઞી અને મન વિનાના જીવો અસંશી કહેવાય છે. મનના દ્રવ્યમાન અને ભાવમન એમ બે પ્રકાર છે. મન:પર્યાતિરૂપકરણવિશેષથી મનન કરવા યોગ્ય મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને મનપણે પરિણાવેલા જ પુદ્ગલ દ્રવ્યો તે દ્રવ્યમાન છે. મનપણે પરિણમેલા પુદ્ગલ દ્રવ્યોના આલંબનવાળો જીવનો ચિંતન સ્વરૂપ જે વ્યાપાર તે ભાવમન છે. આ બંને પ્રકારના મન જેમને હોય તે સમનસ્ક સંજ્ઞી છે. (શ્રી સિદ્ધસેન ગણિકત પ્રસ્તુત સૂત્રની ટીકાના આધારે.) તે સિવાયના જીવો અમનસ્ક=અસંજ્ઞી છે. નારકો, દેવો, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સમનસ્ક સંજ્ઞી હોય છે. બાકીના એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો અસંજ્ઞી છે. એકેન્દ્રિય જીવોને ભાવમન એટલે કે વિચાર કરવાની આત્મશક્તિ હોય છે, પણ દ્રવ્યમાન નથી હોતું. એથી તેઓ વિચાર કરી શકતા નથી. બેઇન્દ્રિયાદિ (અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના) જીવોને ઇષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયથી નિવૃત્તિ કરાવનાર વર્તમાનકાળના વિચાર સ્વરૂપ હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. તેથી અલ્પ પ્રમાણમાં દ્રવ્યમાન હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં દ્રવ્યમાન ન હોવાથી સંજ્ઞીની જેમ ભૂત કે ભાવી કાળનો