________________
૫૯
મ) ૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતવાધિગમસૂત્ર
અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્. (અમદાવાદમાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) મુંબઇ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્. શિયાળા રૂપ સ્વકાળની અપેક્ષાએ સત્. (શિયાળામાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) ઉનાળા રૂ૫ પરકાળની અપેક્ષાએ અસત્. લાલરંગ રૂપ સ્વભાવની સ્વપર્યાયની અપેક્ષાએ સતુ. (લાલ ઘડો છે માટે) કૃષ્ણરંગ રૂપ પરભાવની=પરપર્યાયની અપેક્ષાએ અસતુ.
એ પ્રમાણે દરેક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્ય-વિશેષ વગેરે ધર્મો હોવા છતાં મિબાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે. અમુક વસ્તુ અસત્ જ છે, અમુક વસ્તુ નિત્ય જ છે, અમુક વસ્તુ અનિત્ય જ છે, અમુક વસ્તુ સામાન્ય જ છે, અમુક વસ્તુ વિશેષ જ છે, એમ એકાંત રૂપે એક ધર્મનો સ્વીકાર કરી અન્ય ધર્મનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે. (૩૩)
નયોનું નિરૂપણ नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥१-३४ ॥ ગાકારાવ દિ-દિ-એવા ૨-૩૧ છે
નગમ, સંગ્રહ, વ્યવહાર, જુત્ર અને શબ્દ એ પાંચ નયો છે. (૩૪) નૈગમનયના સામાન્ય અને વિશેષ એ બે અને શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ભેદો છે. (૩૫)
આ બે સૂત્રોનું વિવેચન કરતાં પહેલાં નય વિષે થોડી વિચારણા કરી લેવાની જરૂર છે, જેથી નયોના ભેદોનો સ્પષ્ટ રૂપે બોધ થઈ શકે. અપેક્ષા, અભિપ્રાય, દષ્ટિ, નય એ બધા શબ્દો એકાઈક છે. કોઈ એક વસ્તુ અંગે જુદી જુદી દષ્ટિએ વિચાર કરવામાં આવે તો તેમાં અનેક ગુણધર્મો રહેલા છે, એમ આપણને જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા પણ ગુણધર્મો રહેલા છે એમ જણાશે.