SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વં શ્રી ચૈત્યવન્દન ભાષ્ય મંગળાચરણઃ વિષય પરંપરા સંબંધ પ્રયોજન અધિકારી વંતિg વંન્નેિ સર્વે વિટ્ટ-વાડિટ્ટ-સુ-વિચારો વહુ-વિત્તિ-ભાસ-વુvo-સુથા-ડપુસારે-વુચ્છામિ શા (મન્વય :- સર્વે વંડળને વડિતુ, વહુ-વિત્તિ-માસ-વુwh-સુયાનુસાળ વિટ્ટડz સુ-વિચાર. ગુચ્છામિ ૨.) શબ્દાર્થ - વંદિg=વંદન કરી. વંદણિજ્જૈ=વંદન કરવા યોગ્ય. સવ્વ સર્વને અથવા સર્વ જાણનાર-સર્વજ્ઞોને. ચિઈ-વંદણાડડઈ-સુ-વિયા-ચૈત્યવન્દન વગેરેનો સુ એટલે વ્યવસ્થિત વિચાર. બહુ-વિત્તિ-ભાસ-ચુણી-સુયાડણસારેણ=અનેક-ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓ અને આગમોઃ અનુસાર. તુચ્છામિ=કહું છું. ૧. ગાથાર્થવંદન કરવા યોગ્ય સર્વજ્ઞોને (સર્વને) વંદન કરી. અનેક ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓઃ અને આગમો અનુસાર ચૈત્યવંદન વગેરેનો સુવિચાર કહું છું. ૧. વિશેષાર્થ- સર્વે સુધી મંગળાચરણ છે. સુવિચાર સુધી ગ્રંથનો વિષય બતાવ્યો છે. અહીં ત્રણેય ભાષ્યરૂપ એક સળંગ ગ્રંથ સમજવાનો છે. કેમકે-ચિઇ-વંદણાઈસુ-વિયા-માં આદિ પદથી ચૈત્યવંદનઃ ગુરૂવંદનઃ અને પ્રત્યાખ્યાન એ ત્રણેયનો સુવિચાર કહેવાનો છે. તેથી ગ્રન્થનું નામ ભાષ્યત્રયમ્ કહેવાય છે. બાકીના બહુ વિત્તિ વગેરે પદોથી આ ગ્રંથ પરંપરાગત રૂપ હોવાનો સંબંધ બતાવ્યો છે. અને સાથે સાથે ગ્રંથકારને આ વિષયનું જ્ઞાન પોતાના ગુરુઓ મારફત પરંપરાએ મળેલું છે, એવો ગુરૂ પરંપરા સંબંધ પણ ગર્ભિત રીતે સૂચવ્યો છે. જૈનધર્મની આરાધના કરવાની ઇચ્છાવાળા ભવ્યજીવો આ ગ્રંથ ભણવા-સમજવાના અધિકારીઓ છે. તથા અલ્પબુદ્ધિવાળા જીવો-ઘણા ભાષ્યો-ચૂર્ણિઓ વગેરે ગ્રંથો સમજી ન શકે, માટે બાળ જીવોને સમજાવવા માટે ટુંકામાં નવો ગ્રંથ રચવાનું નજીકનું પ્રયોજન છે. તથા ગ્રંથકારની બાળજીવો ઉપર ઉપકાર કરવાની બુદ્ધિરૂપી ઉત્તમ ભાવનાથી થતી કર્મનિર્જરા, ભણનાર તથા તે પ્રમાણે આચરણ કરનારને આચારનું જ્ઞાન
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy