SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ભાષ્યત્રયમ્ इत्तुच्चिय खवणंबिल-निविआइसु फासुयं चिय जलं तु । सड्ढा वि पियंति तहा, पच्चक्खंति य तिहाहारं ॥११॥ શબ્દાર્થ - રૂત્તશ્વિય=એટલા જ માટે, એ હેતુથી જ.| સુયં પ્રાસુક, નિર્જીવ, અચિત્ત. વUT=ઉપવાસ. ન | સદ્ગવિ શ્રાવકો પણ. નાથાર્થ - એ હેતુથી જ ઉપવાસ, આયંબિલ અને નીવિવગેરેમાં શ્રાવકો પણવિ=નિશ્ચય પ્રાસુક-અચિત્ત જળ પીએ તથા તિવિહારનું પચ્ચખાણ (ઉપવાસાદિકમાં) કરે ૧૧ ભાવાર્થ:- એ હેતુથી જ (એટલે અચિત્તભોજીપણું અને પ્રાસુકઅચિત્ત જળ પીવાનો નિયમ હોવાથી જ) શ્રાવકો પણ ઉપવાસ, આયંબિલ અને નીવિ વગેરેમાં તેમજ (અહીં “વગેરે', શબ્દથી) એકાશન વગેરેમાં પણ અચિત્તભોજી એવા શ્રાવકો પ્રાસુકજ જળ પીએ અને પ્રાય-વિશેષથી તિવિહારનું જ પચ્ચકખાણ+ કરે (ઇતિ અવચૂરિ અક્ષરાર્થ:) અહીં સચિત્તભોજીને પણ ઉપવાસ, આયંબિલ અને નીવિ એ ત્રણ તો તિવિહાર અને ચઉવિહાર જ હોય, અને તેથી એ ત્રણ વ્રતમાં અચિત્ત પાણી જ પીવું જોઈએ અને એકાશનાદિ તે યથાસંભવ દુવિહાર, તિવિહાર અને ચઉવિહાર એમ ત્રણે પ્રકારે હોય છે, ત્યાં (દુવિહારમાં) અચિત્તનો નિયમ નથી. (જ્ઞાનવિમલ-સૂરિકૃત બાલાવબોધઃ) માવતર :- હવે ચાર પ્રકારના આહારમાંથી મુનિને અને શ્રાવકને ક્યા પચ્ચકખાણમાં કેટલા આહારનો ત્યાગ કરવાનો હોય છે ? (એટલે દુવિહાર, તિવિહાર, અને ચઉવિહારવાળાં ક્યાં પચ્ચખાણો હોય છે ?) તેનો નિયમ આ ગાથામાં દર્શાવે છે + અહીં તાત્પર્ય એ છે કે-શ્રાવકોએ પણ વ્રતોમાં ઉષ્ણ પાણી પીવું, અને પચ્ચખાણ વિશેષતઃ તિવિહાર એકાશનાદિ કરવું, દુવિહાર પચ્ચકખાણ દુવિહાર એકાશનાદિ) તો કારણે જ કરવું યોગ્ય છે, તેમજ વ્રતમાં કાચું પાણી ન પીવું. કારણ કે મુખ્ય વૃત્તિએ તો ઉત્તમ શ્રાવકે સચિત્તનો સર્વદા ત્યાગ કરવો જોઈએ, તે સંબંધમાં કહ્યું છે કે निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तमीसेणं । સત્તાધુસંધાપા, સુણાવ રિલા હૃતિ III (શ્રાદ્ધ0 વૃત્તિ:). અર્થ :- નિરવદ્ય (=નિર્દોષ) આહાર વડે, નિર્જીવ આહાર વડે અને પ્રત્યેક મિશ્ર (સાધારણ વન, રહિત) એવા આહાર વડે (આત્માનુસંધાનમાં તત્પર એટલે) આત્મગુણ પ્રાપ્ત કરવામાં વા તેવા આહાર વડે જ આજીવિકા નિભાવવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે. એ પ્રમાણે વિચારતાં છૂટા શ્રાવકને પણ અચિત્ત આહાર હોવો જોઇએ. તો એકાશનાદિ વ્રતોમાં વિના કારણે શ્રાવકથી તિવિહારમાં સચિત્ત જળ અને દુવિહારમાં સચિત્ત સ્વાદિમ વગેરે કેમ વપરાય ?
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy