SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ભાષ્યત્રયમ્ ૨૪પૂર્વાતો વન-*ગોચરી આહારાદિ લાવીને પ્રથમ બીજા કોઈ સાધુ આગળ તે ગોચરી આલોચે, અને ત્યારબાદ ગુરુ આગળ આલોચે તો આશાતના (અહીં ગોચરી સંબંધી ગમનાગમનની ઇરિયાવહિયા પડિક્કમવી તે ગોચરી આલોવવી અથવા આલોચવી કહેવાય). ૨૫ પૂર્વોપર્શન- લાવેલી ગોચરી ગુરુને દેખાડ્યા પહેલાં બીજા કોઈ સાધુને દેખાડે તો આશાતના (અહીં પૂર્વ=પહેલાં ઉપદર્શન= દેખાડવું એ શબ્દાર્થ છે). ૨૬પૂર્વનિમત્રણ- લાવેલાં આહાર પાણી વાપરવા માટે પહેલાં બીજા સાધુઓને નિમત્રણ કરે (બોલાવે) અને ત્યારબાદ ગુરુને નિમંત્રણ કરે તો આશાતના. - ૨૭ ઉદ્ધાન- આહાર લાવીને ગુરુની આજ્ઞા વિના પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર સ્નિગ્ધ આદિ રદ્ધઃખાઘઆહાર યથાયોગ્ય વાન=વહેંચી આપે તો આશાતના. ૨૮ ઉદ્ધાન- આહાર લાવીને ગુરુને કંઈક થોડો આપીને જે સ્નિગ્ધ અને મધુર આહાર ઉત્તમ દ્રવ્યોનો બનેલો હોય તે પોતે વાપરે તો આશાતના (અહીં વૃદ્ધ એટલે ખાદ્ય-મધુર આહારનું અનઃખાવું એ શબ્દાર્થ છે.) ૨૨ પ્રતિશ્રવણ- ગુરુ બોલાવે ત્યારે ન બોલવું તે આશાતના (બારમી આશાતના પણ એ જ નામવાળી છે, પણ તેમાં અને આમાં તફાવત એ છે કે બારમી આશાતના રાત્રે નિદ્રાના સમયની છે, અને આ ૧૯મી આશાતના દિવસે બોલાવવા સંબંધી છે.) ૨૦ ઉદ્ધ (ભાષા)- કઠિન કર્કશ અને મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે (ખદ્ધ એટલે પ્રચુર--ઘણું) બોલવું તે આશાતના. ૨૨ તત્રત (ભાષા)-- ગુરુ બોલાવે ત્યારે શિષ્ય “મFએણવંદામિ” ઈત્યાદિ બોલી તુર્ત ઊઠી ગુરુ પાસે જઈને નમ્રતાથી ગુરુ શું કહે છે તે સાંભળવું જોઇએ, તેને બદલે પોતાના આસને બેઠો છતોજ જવાબ આપે તો આશાતના. ૨૨ માપVI- ગુરુ બોલાવે ત્યારે “કેમ? શું છે? શું કહો છો ? ઈત્યાદિ બોલે તો આશાતના કારણ કે ગુરુ બોલાવે ત્યારે શિષ્ય શીઘ “મFએણ વંદામિ” *૧૧ મી અને ૧૪મી આશાતના નામથી તુલ્ય છે. પરંતુ અર્થથી ભિન્ન છે. ૧ ખદ્ધ એટલે પ્રચુર-ઘણું આપવું એવો પણ અર્થ થાય છે. ૨. અહીં “ખદ્ધાદિ અદન” એ પણ આશાતના કહી છે, જેમાં ખદ્ધ એટલે પ્રચુર-ઘણું અર્થ થાય છે; તે પ્રચુર આદિ આહારવાળો અર્થ ભણનારને દીર્ઘ અને સુગમ ન હોવાના કારણથી કહ્યો નથી. ૩ ઇતિ પ્રવ૦ સારો૦ અને ધર્મ સં૦ વૃત્તિ. ૪ વર્તમાનમાં એ વચન પ્રચલિત નથી, તો પણ તુર્ત ની કહીને ઊઠવું તે (પ્રચલિત) રિવાજ પણ વિનયભર્યો છે.
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy