________________
૧૮૪
ભાષ્યત્રયમ્ અર્થ :- ગુરુને નમસ્કાર (વંદન) નહિ કરવાથી અભિમાન અવિનય-હિંસા (નિંદા અથવા લોકનો તિરસ્કાર)-નીચ ગોત્રનો બંધ-સમ્યકત્વનો અલાભ-અને સંસારની વૃદ્ધિ એ છ દોષ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે દ્વાદશાવર્ત વંદનના ૧૯૮ બોલ જાણવા.-).
અવતર:- ગુરુ સાક્ષાત્ ન વર્તતા હોય ત્યારે કોની આગળ વંદન કરવું? તે સંબંધી (એટલે ગુરુના અભાવે ગુરુની સ્થાપના સ્થાપવા સંબંધી) ૫ દાર કહેવાય છે. गुरुगुणजुत्तं तु गुरुं, ठाविज्जा अहव तत्थ अक्खाई। अहवा नाणाइ तियं, ठविज्ज सक्खं गुरुअभावे ॥२८॥
શબ્દાર્થ :નુત્તન્સહિત
| અવસ્થા=અક્ષ વગેરે (અરિયા વગેરે) વિજા સ્થાપવા
સવું=સાક્ષાત્, પ્રત્યક્ષ. થાર્થ :- સાક્ષાત્ ગુરુના અભાવે ગુરુના ૩૬ ગુણ યુક્ત સ્થાપના ગુરુ સ્થાપવા (એટલે ગુરુની સભૂત સ્થાપના સ્થાપવી) અથવા (તેવી સંભૂત સ્થાપના સ્થાપવાનું ન બને તો) અક્ષ (ચંદન-અરિયા) વગેરે તેની અસભૂત સ્થાપના) અથવા જ્ઞાનાદિ ત્રણને સ્થાપવાં, (એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણને ગુરુ તરીકે માનીને તેવી સંભૂત સ્થાપના સ્થાપવી.)
માવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે.
અવતાર :- પૂર્વ ગાથામાં ગુરુના અભાવે ગુરુની સ્થાપના અડ્ડા એટલે અક્ષ વગેરેથી સ્થાપવાની કરી તેમાં “અક્ષ વગેરે” એમ કહેવાથી ક્યા ક્યા પદાર્થો (વડે ગુરુસ્થાપના સ્થાપવી) ? તેમ જ તે સ્થાપના કેવા પ્રકારની ? અને કેટલા કાળ સુધીની ગણવી ? તે આ ગાથામાં દર્શાવાય છેअक्खे वराडए वा, कटे पुत्थे अ चित्तकम्मे अ । सब्भावमसब्भावं, गठवणा इत्तरावकहा ॥२९॥
શબ્દાર્થ :Q=અક્ષ (માં)
મસન્માવં=અસદ્દભાવ સ્થાપના વરીવરાટક, કોડા
ફત્તર =ઈ વર, અલ્પકાળની સન્માવં=સદ્દભાવ, સ્થાપના
માવાયાવત્ કથિત, હંમેશની પથાર્થ:- ગુરુની સ્થાપના અક્ષમાં, વરાટક-કોડામાં, કાષ્ઠમાં, પુસ્તમાં અને ચિત્રકર્મમાં (ચિત્રમ) કરાય છે તે સદ્ભાવ સ્થાપના અને અસદ્ભાવ સ્થાપના એમ બે પ્રકારની છે; પુનઃ તે પ્રત્યેક ઇવર અને યાવત્ કથિત એમ બે-બે પ્રકારની છે ll૨લા
૧-૨ ગુરુના સરખા પુરુષ આકારવાળી મૂર્તિ તે ગુરુની સત્ ભૂત સ્થાપના અને પુરુષાકાર સિવાય ગમે તેવા આકારવાળી વસ્તુમાં ગુરુપણું આરોપવું તે ગુરુની સમૂત સ્થાપના એ બન્ને સ્થાપના ગાથામાં ગર્ભિત દર્શાવી છે.