SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન ભાષ્ય ૧૮૩ અવતરળ :- ગુરુને વંદન કરવાથી ૬ ગુણ ઉત્પન્ન થાય છે તે સંબંધી ૧૪ મું દ્વાર કહેવાય છે. इह छच्च गुणा विणओ - वयार माणाइभंग गुरुपूआ । तित्थयराण य आणा, सुयधम्माराहणाऽकिरिया ॥२७ શબ્દાર્થ :-ગાથાર્થને અનુસારે થાર્થ :- અહીં (ગુરુને વંદન કરવામાં) છ ગુણ થાય છે તે આ પ્રમાણે(૧) વિનયોપચાર X એટલે વિનય ગુણ ઉત્પન્ન થાય છે. (૨) માનભંગ એટલે અભિમાન અહંકાર વગેરેનો ભંગ-નાશ થાય છે. (૩) ગુરુપૂના ગુરુજનની 'સમ્યક્ પૂજા (=સત્કાર) થાય છે, (૪) શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞાનું આરાધન એટલે આજ્ઞાનું પાલન થાય છે. (૫)શ્રુતધર્મની આરાધના થાય છે, અને પરંપરાએ (૬) અયિા એટલે 'સિદ્ધિ થાય છે, II૨૭ા ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે વંદન કરવાથી ૬ પ્રકારના ગુણ કહ્યા છે, તેમ ગુરુને વંદન ન કરવાથી ૬ પ્રકારના દોષ પણ કહ્યા છે, તે આ પ્રમાણે माणो अविणय खिसा, नीयागोयं अबोहि भववुड्ढी । અનમંતે છંદ્દોન્ના (વૃં અડનવસયમણિં III) ધ. સં. વૃત્તિ. × વિનય તે જ ઉપચાર=આરાધનાનો પ્રકાર તે વિનયોપચાર. ૧ અભિમાન રહિત વિનીતપણે વંદન કરવાથી જ સમ્યક્ મુમૂના ગણાય છે. ૨ “વિનય તે ધર્મનું મૂળ છે” એવી તીર્થંકર ભગવંતની આજ્ઞા છે માટે. ૩ વંદન પૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે માટે વંદન કરવાથી શ્રુતની આરાધના થાય છે. ૪ ગુરુ વંદનથી પરંપરાએ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે તે સંબંધી શ્રી સિદ્ધાન્તમાં આ પ્રમાણે કહ્યું છેतहारूवाण भंते समणं वा माहणं वा वंदमाणस्स वा पज्जुवासमाणस्स वा वंदणा पज्जुवासणा યાજિંત્તા પન્નત્તા ? ઉત્તર-ગોયમા સવળતા ઇત્યાદિ આલાપકનો (કથનનો) ભાવાર્થ આ પ્રમાણે હે ભગવન્ ! તથા સ્વરૂપવાળા શ્રમણ અથવા માહણને વંદન કરતા અથવા પર્યુપાસના કરતા એવા સાધુની તે વંદના અને પર્યાપાસના શું ફળવાળી કહી છે ? (હોય ?) ઉત્તર-હે ગૌતમ ! શાસ્રશ્રવણ રૂપ ફળ હોય. પ્રશ્ન-તે શ્રવણનું શું ફળ ? ઉત્તર-જ્ઞાન ફળ. પ્ર-જ્ઞાનનું ફળ શું ? ઉ-વિજ્ઞાન ફળ. પ્ર૦-વિજ્ઞાનનું શું ફળ ? ઉ૦-પચ્ચક્ખાણ ફળ. એ પ્રમાણે પચ્ચક્ખાણનું સંયમ ફળ, સંયમનું અનાશ્રવ (સંવ૨) ફળ, અનાશ્રવનું તપ ફળ, તપનું વ્યવદાન (નિર્જરા) ફળ, નિર્જરાનું અક્રિયા ફળ અને અક્રિયાનું સિદ્ધિગતિ ફળ છે.
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy