________________
૧૭૨
ભાષ્યત્રયમ્ ૧ મોડા-ઉપર કહ્યા પ્રમાણે પુરિમ થઈ ગયા બાદ મુહપત્તિનો મધ્ય ભાગ ડાબા હાથ ઉપર નાખીને ઘડીવાળો મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય, અને (તે બે પડવાળી થયેલી મુહપત્તિ) દૃષ્ટિ સન્મુખ આવી જાય. ત્યાર બાદ તુર્ત તેના ત્રણ (અથવા બે) વધૂટક કરીને જમણા હાથની ચાર અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવાદાબવા, અને તેવી રીતે ત્રણ વધૂટક કરેલી મુહપત્તિને ડાબા હાથની હથેલી ઉપર હથેલીને ન અડે – ન સ્પર્શે તેવી રીતે પ્રથમ ત્રણ વાર ખંખેરવાપૂર્વક કાંડા સુધી લઈ જવી, અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પખ્ખોડા કરવાપૂર્વક ત્રણ ત્રણવાર અંદર લેવી તે ૯ અખ્ખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.)
૧ પ્રમાર્ગના (વોડ)-ઉપર કહ્યા પ્રમાણે પહેલીવાર કાંડા તરફ ચઢતાં ત્રણ અખ્ખોડા કરીને નીચે ઊતરતી વખતે હથેલીને મુહપત્તિ અડે=સ્પર્શે એવી રીતે (મુહપત્તિ વડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા તે પહેલી ૩ પ્રમાર્જના ત્યારબાદ (કાંડા તરફ ચડતાં ૩ અખ્ખોડા કરીને) બીજીવાર ઉતરતાં ૩ પ્રાર્થના, અને એ જ પ્રમાણે (વચ્ચે ૩ અખ્ખોડા કરીને) પુનઃ ત્રીજી વખત ૩ પ્રાર્થના કરવી તે ૯ પ્રમાર્જના, અથવા ૯ પખોડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય. (ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જુદા જાણવા, કારણ કે વિશેષતઃ એ ૬ ઊર્ધ્વપફોડા અથવા ૬ પુરિમ કહેવાય છે, પરંતુ પ્રસિદ્ધિમાં જે ૯ પખ્ખોડા ગણાય છે તે તો આ ૯ પ્રમાર્જનાનું નામ છે.
એ ૯ અખ્ખોડા અને ૯ પખ્ખોડા તિતિા અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતાં ૩ અખોડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઊતરતાં ૩ પખોડા કરવા, ત્યારબાદ પુનઃ ૩ પખોડા, પુનઃ ૩ અખ્ખોડા, પુનઃ ૩ અખ્ખોડા અને પુનઃ ૩ પખ્ખોડા એ અનુક્રમે ૯
૧ વધૂ એટલે સ્ત્રી જેમ લજા વડે શીર્ષનું વસ્ત્ર મુખ આગળ લટકતું-લંબાયમાન રાખે છે, તેમ મુહપત્તિના ૩ વળને ચાર અંગુલીઓના ૩ આંતરામાં ભરાવી-દબાવી નીચે ઝુલતા-લંબાયમાન રાખવા તે રૂ વધૂર કહેવાય. શ્રી પ્રવ૦ સારો વૃત્તિમાં બે વધૂટક પણ કરવા કહ્યા છે, પરંતુ એ પ્રચલિત નથી.