SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષ્યત્રયમ્ ભાવાર્થ :- પ્રતિક્રમણમાં ચાર વાર બે બે વાંદણાં દેવાય છે તે પ્રતિમળ માટે ગુરુવંદન જાણવું. તથા ગુરુ પાસે વાચના લેતી વખતે પ્રથમ ગુરુને ૩ વાર વંદન કરવું તે સ્વાધ્યાય માટે જાણવું, તથા યોગોહન વખતે આયંબિલ છોડી નીવીનું પચ્ચક્ખાણ કરવા પહેલાં ગુરુને વંદન કરવું તે જાડ” માટે જાણવું. ગુરુ પ્રત્યે થયેલો અપરાધ ખમાવવા માટે જે પ્રથમ ગુરુવંદન કરવું તે અપરાધ માટે જાણવું, તથા વડીલ સાધુ પ્રાણા પધારે ત્યારે તે પ્રાહુણા સાધુને (સાંભોગિક અર્થાત્ સરખી સામાચારીવાળા હોય તો ગુરુને પૂછીને અને અસાંભોગિક હોય તો પ્રથમ ગુરુને વંદના કરીને પૂછે, અને ગુરુ આદેશ આપે તો) વંદના કરવી તે 'પ્રાદુળા માટે જાણવું. તથા કોઈ અતિચાર-અનાચારનું આલોચનાદિ પ્રાયશ્ચિત અંગીકાર કરવું હોય ત્યારે ગુરુને પ્રથમ વંદના કરવી તે મનોવના માટે જાણવું, રવિહારગમન સમયે પણ જે વંદન તે આ ભેદમાં અંતર્ગત થાય છે. તથા ઘણા આગારવાળા એકાશનાદિ પચ્ચક્ખાણને ભોજન કર્યા બાદ ઓછા આગારવાળું કરવું તે દિવસચરિમ પચ્ચક્ખાણરૂપ સંવર (=સંક્ષેપ), અથવા નમુક્કારસહિયં આદિ લઘુપચ્ચક્ખાણ બદલીને ઉપવાસાદિ મોટું પચ્ચક્ખાણ કરવું તે પણ સંવર (સંવરણ) કહેવાય, માટે તે સંવર એટલે પ્રત્યાખ્યાન કરવા પહેલાં ગુરુને વંદના કરવી તે પ્રત્યાઘ્યાન માટે જાણવું. તેમજ અનશન તથા સંલેખણા (રૂપ ઉત્તમ અર્થ) અંગીકાર કરવા માટે પ્રથમ ગુરુવંદન કરવું તે કત્તમાર્થ માટે જાણવું. એ પ્રમાણે ૮ કારણે ગુરુને વંદન કરવું. એમાં પ્રતિક્રમણનાં ૪ અને સ્વાધ્યાયનાં ૩ એ ૭ વંદન દિવસના પૂર્વાર્ધનાં તથા ઉત્તરાર્ધનાં મળી ૧૪ ધ્રુવયંનો છે, કે જે દ૨૨ોજ કરવા યોગ્ય છે, અને શેષ કાયોત્સર્ગાદિકનાં વંદનો તેવા તેવા કારણ પ્રસંગે કરવાનાં હોવાથી અધ્રુવયંનો છે. ૧૬૬ *પટ્કવણાનું, પવેયણાનું અને પઠન બાદ કાળ વેળાનું ગુરુવંદન તે સ્વાધ્યાયનાં ૩ વંદન સાધુસામાચારીથી જાણવા યોગ્ય છે. ૧ એમાં પ્રાહુણા મુનિ લધુ હોય તો તે પ્રાહુણા મુનિએજ વંદન કરવું, અને પ્રાહુણા જ્યેષ્ઠ હોય તો પ્રાણુણાને તત્રસ્થ લઘુ મુનિઓએ વંદન કરવું એ બન્ને અર્થ છે. (પ્રવ૦ સારો૦ વૃત્તિ) ૨ આતોષનાયાં વિદારાપરાધભેમિન્નાયાં ઇતિ આવ૦ વૃત્તિ વચનાત્. ३ चत्तारि पडिक्कमणे, किइकम्मा तिन्नि हुंति सज्झाए । પુન્દે, અવરત્તે વિમ્મા વડસ વંતિ ॥ આ નિ૦ ૧૨૦૧ ॥ વમેતાનિ ધ્રુવાનિ પ્રત્યદું કૃતિમાંગિ વતુશ મવંતિ ઇતિ આવ∞ વૃત્તિ
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy