________________
૧૫૨
ભાષ્યત્રયમ્
કહેશે, ગુરુની સ્થાપના કહેશે, બે બે પ્રકારનો અવગ્રહ (ગુરુથી દૂર ઊભા રહેવાની ક્ષેત્રમર્યાદા) કહેશે, વંદનક સૂત્રના ૨૨૬ અક્ષર કહેશે, અને તેમાં ૨૫ ગુરુ અક્ષર (જોડાક્ષર) પણ કહેશે, (એ ૮ દ્વાર આ ગાથામાં કહ્યાં) ॥૮॥
તથા વંદનસૂત્રમાં ૫૮ પદ છે તે કહેશે, વંદનનાં ૬ સ્થાન (૬ અધિકાર તે શિષ્યના પ્રશ્નરૂપે) કહેશે, વંદન સમયે ગુરુને બોલવા યોગ્ય ૬ વચનો (તે પ્રશ્નોના ઉત્તરરૂપે) કહેશે, ગુરુ પ્રત્યે થતી ૩૩ આશાતના કહેશે, અને વંદનની ૨ વિધિ (રાત્રિ સમયની અને દિવસની વંદનવિધિ) કહેશે, એ પ્રમાણે ૨૨ મુખ્ય દ્વારો વડે ૪૯૨ સ્થાન (દ્વારોના ઉત્તરભેદ ૪૯૨) થાય છે, IIII
* ॥ મૂળ દ્વારના ૪૯૨ ઉત્તર ભેદનું કોષ્ટક ॥
વંદનનાં નામ
૫
૧૩ | દોષ
૫
૧૪ ગુણ
૫
૧૫ | ગુરુ સ્થાપના
૫
૧૬
અવગ્રહ
૪
૧૭
વંદન સૂત્રની
૪
અક્ષર સંખ્યા
૫
૪
૧
૨ |દૃષ્ટાંત
૩ | વંદન અયોગ્ય
૪ | વંદન યોગ્ય
૫
૬
૭
નિષેધસ્થાન
૮ | અનિષેધસ્થાન
૯ |વંદનનાં કારણ
વંદન અદાતા
વંદન દાતા
૧૦ આવશ્યક
૧૧ | મુહપત્તિ પડિલેહણ
૧૨ |શરીર પડિલેહણ
८
૨૫
૨૫
૨૫
પદ સંખ્યા
સ્થાન (શિષ્યના પ્રશ્નો)
૧૮
૧૯
૨૦ | ગુરુવચન (વચન)
૨૧
ગુરુ આશાતના
૨૨ |વિધિ
૩૨
૬
૧
ર
૨૨૬
૫૮
૬
૬
૩૩
૨
૪૯૨
*શાસ્ત્રોમાં દ્વાદશા૦ વંદનના ૧૯૮ બોલ કહ્યા છે, તેમાં ૨૨૬ અક્ષર, ૫૮ ૫૬, ૪ વંદનદાતા, ૪ વંદન અદાતા, ૪ અનિષેધ સ્થાન ૨ વિધિ. ૧ ગુરુ સ્થાપના એ (૨૯૯) ભેદ ગણાવ્યા નથી,તેમજ અવગ્રહ બેને બદલે ૧ ગણેલો હોવાથી સર્વ મળી ૩૦૦ ભેદ ગણાવ્યા નથી, અને માન-અવિનય-ખિસા (નિંદા)-નીચગોત્ર બંધઅબોધિ-તથા ભવવૃદ્ધિ એ વંદન નહિ કરનારને ૬ દોષ અધિક ગણાવ્યા છે, માટે (૪૯૨+૩૦૦=૧૯૨+૬=) ૧૯૮ બોલ ગણ્યા છે (ધ.સં. વૃત્તિઃ)