SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન ભાષ્ય ૧૨૯ છે, તે રસોદય તેઓ મોક્ષમાં જાય ત્યાં સુધી (એટલે કે મોક્ષમાં પધારે ત્યાં સુધી) ટકે છે. તે પણ એક પ્રકારના જિનેશ્વર ભગવંતો જ છે. અને તે ભાવજિનેશ્વર કહેવાય છે. બધા કેવળજ્ઞાનીઓ તીર્થંકર નથી હોતા, માટે “સમવસરણસ્થ’ વિશેષણ તીર્થંકર દેવા માટે આપ્યું છે. એટલે કે-જેમનું દેવો સમવસરણ રચે, અશોકવૃક્ષાદિ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની એટલે કે તીર્થંકર નામકર્મને યોગ્ય બાહ્ય ઋદ્ધિ પણ જેમને હોય એવા કેવલજ્ઞાની ભગવંત તે ભાવજિનેશ્વર કહેવાય છે. ભાવ-જિનેશ્વરપણાના પહેલાંની અવસ્થામાં રહેલા શ્રી તીર્થકર ભગવંતના જીવો અથવા ભાવ જિનેશ્વરપણા પછીની સિદ્ધાવસ્થામાં રહેલા, તીર્થંકર ભગવંતોના જીવો તે પણ એક પ્રકારના જિનેશ્વર છે, અને તે દ્રવ્ય-જિનેશ્વરી કહેવાય છે. એટલે કે-તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા પછી, કે નિકાચિત બાંધ્યા પછી, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તે આત્મા દ્રવ્ય તીર્થકર કહેવાય છે. તેમજ ભાવ તીર્થકર તરીકેની અવસ્થા પસાર થયા પછી સિદ્ધાવસ્થામાં પણ તે દ્રવ્ય તીર્થંકર કહેવાય છે. ભલે તે વખતે તેઓ ભાવસિદ્ધ છે. પરંતુ તીર્થંકર તરીકે તો તેઓ દ્રવ્ય તીર્થકર જ છે. અર્થાત્ ભાવની પૂર્વની અને પછીની અવસ્થા તે દ્રવ્ય કહેવાય છે. જગત્ ના સર્વ પદાર્થોને લાગુ પડતું આ ચાર નિક્ષેપાનું તાત્ત્વિક સ્વરૂપ વિસ્તારથી ખાસ સમજવા જેવું છે. ૫૧. ૧૬. ચાર ચૂલિકા સ્તુતિઓ :મહિય-નિ-પઢ-, વીયા વ્યા, તના સ્કિા वेयावच्च-गराणं उवओगत्थं चउत्थ-थुइ ॥५२॥ [અવર:- હાય-નિખ-૫૮મ-થ, સત્રાળ વીયા, નાળ તા, વેયાવરાળ, વોલ્થ વલ્થ-શુ ધરા ] શબ્દાર્થ :- અગિય=અધિકૃત. મુખ્ય એક, (મૂળનાયક), બીયા=બીજી સવાણસર્વની, તઈયનાણસ્સ-ત્રીજી જ્ઞાનની, ઉવઓગત્યં=ઉપયોગ માટે, જાગૃતિ માટે, ચઉત્થચોથી. થઈકરતુતિ. પર.
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy