SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ભાયમ ચૈત્યસ્તવની આઠ સંપદાનાં નામ:अब्भुवगमो निमित्तं हेऊ इग-बहु-वयंत आगारा । आगंतुग-आगारा उस्सग्गा-ऽवहि स-स्त्र-ऽट्ठ ॥३८॥ [ કન્વય :- ભુવો નિમિત્તે દે -વહુ-વયંત-IIIRI, આતુIII, સાડવરિ સ-વ-૪ રૂટ ]. શબ્દાર્થ :- અણ્વગમ = અભ્યપગમ, સ્વીકાર. નિમિત્ત = નિમિત્ત, નિમિત્ત રૂપ હતુ. હેઊ = હેતુ. ઈગ = એક. બહુ = બહુ વયંત = વચનાંત. આગારા = આગારો ઈગ-બહુ-વયંત-આગરા = એક વચનાત્ત અને બહુ વચનાંત આગારો. આગંતુગ = આગંતુક, આવી પડે તેવા. આગંતુગ-આગરા = આગંતુક આગારો. ઉસ્સગ્ગ = કાયોત્સર્ગ. અવહિ = અવધિ, વખતની મર્યાદા. સ-રૂવ = સ્વરૂપ. ઉસ્સગ્ગા-વહિરસ-રૂવ = કાયોત્સર્ગની મર્યાદા અને સ્વરૂપ. અઠ=આઠ. ૩૮ ગાથાર્થ :અભ્યપગમઃ નિમિત્તઃ હેતુઃ એક અને બહુવચનાંત આગારોઃ આગંતુક આગારો કાયોત્સર્ગનો અવધિઃ અને સ્વરૂપઃ એમ આઠ. li૩૮ વિશેષાર્થ - અહીં, અરિહંત ૨૦ સ્ત્ર અન્નત્ય સહિત ગયું છે, માટે અરિહંત ૨૦ ની પહેલી ત્રણ છે, અને બાકીની પાંચ અન્નત્થની છે. નામોના ભાવાર્થ “અરિહંત ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ” કોઈ એક ચૈત્યમાં રહેલી પ્રતિમાઓની વંદના વગેરે માટે કાઉસ્સગ્ન કરવાનું અંગીકાર કરેલું હોવાથી, બે પદની પહેલી અભ્યપગમ સંપદા છે. તે કાઉસ્સગ્ન કરવાનું નિમિત્ત એટલે પ્રયોજન સૂચવનારી “વંદણવત્તિયાએ થી નિવસગ્ગવત્તિયાએ” સુધીના છ પદની બીજી નિમિત્ત સંપદા છે. શ્રદ્ધાદિ વિના કરેલો કાઉસ્સગ્ન ઇષ્ટ સિદ્ધિ ન આપી શકે, માટે “સદ્ધાએ થી ઠામિ કાઉસ્સગ્ગ” સુધીનાં સાત પદમાં કાઉસ્સગ્નનો હેતુ-સાધન બતાવેલ હોવાથી, હેતુ સંપદા છે. કરેલો કાઉસ્સગ્ગ પણ આગાર એટલે અનિવાર્ય સંજોગોમાં છૂટ-અપવાદવિના નિર્દોષ થઈ શકે નહીં, માટે “અન્નત્થથી હુજ્જ મે કાઉસ્સગ્ગો’ સુધીમાં કાઉસ્સગ્નના ૧૨ આગાર બતાવેલા છે, તેમાં
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy