________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ના... ના... નાથ ! આવું ના કરશો. આ તો બધી મજાક છે. મજાકની વાતને આમ ગંભીરતાથી ના લેવાય.’ આઠેય પ્રિયાઓ એકી સાથે બોલી ઊઠી.
શ્રી અને સ્ત્રીના ત્યાગથી જ ઉત્તમ ફળ મળે છે. ભલે તમે મજાકમાં વાત કરી રહ્યા હો પણ હવે તો હું સંયમ લેવાનો ને લેવાનો જ– આમ કહીને ધશો તો મેરની જેમ અડોલ રહ્યો.
‘જો આપ દીક્ષા લેશો તો અમે પણ લઇશું. પતિ હોય ત્યાં જ સતી શોભે ને ?' સંયમ માટે સજજ થયેલી સૌને ધક્ષાએ અભિનંદન આપ્યા. હવે તે દીક્ષા માટે પ્રભુશ્રી મહાવીર દેવની પ્રતીક્ષા કરવા લાગ્યો. પ્રક્રમ-૬ :
અને ખરેખર ભગવાનશ્રી મહાવીર દેવ ત્યાં આવી પહોંચ્યા. આઠેય પત્ની સહિત ધક્ષાએ પ્રભુ પાસે દીક્ષા લઇ લીધી. પ્રભુશ્રી મહાવીર દેવનું આગમન અને બનેવી ધશાની દીક્ષા સાંભળીને શાલિભદ્ર માતાને કહ્યું : હજુ પણ મને રજા આપતાં તું કેમ મુંઝાય છે ?
ભદ્રાને લાગ્યું : હવે તો પ્રેમથી રજા આપવી જ પડશે.
તે શ્રેણિક મહારાજા પાસે ગઇ અને દીક્ષા મહોત્સવ માટે રાજચિહ્નો માંગ્યા ત્યારે તેણે કહ્યું : ઓહ ! એ શાલિભદ્ર દીક્ષા લે છે ? તો તો હું પોતે જ તેનો દીક્ષા મહોત્સવ કરાવીશ. ખરેખરો ભોગી અને ત્યાગી તો તમારો પુત્ર છે. અમે તો સમૃદ્ધિ નથી ભોગવી શકતા અને નથી છોડી શકતા.'
ARRARAUAYA8A82828282828282888
II
II