________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
‘સાધના દ્વારા મુક્ત બની શકાય. સંયમ જીવનની જેઓ સાધના કરે છે તેઓ આ બધી ઝંઝટમાંથી મુક્ત બની પરમ પદને પ્રાપ્ત કરી લે છે.”
ગુરુદેવની વાણીથી શાલિભદ્ર દીક્ષા લેવાનું નક્કી કર્યું. એ માટે માતાની રજા માંગી. દીક્ષાની વાત સાંભળતાં જ માતાને જોરદાર આઘાત લાગ્યો. વૈરાગ્યનું કારણ જાણતાં તેણીને થયું : અરેરે ! રાજાને મેં ક્યાં ઘરે બોલાવ્યો? હાથે કરીને મેં આ ‘દુઃખ’ ઊભું કર્યું !
રાજા તરફથી શાલિભદ્રને આટલો સત્કાર મળ્યો હોય તેને અપમાન લાગ્યું ? ગજબ કહેવાય ! સુકુમાળ વસ્તુઓની વાત ન્યારી છે. પગને પત્થરનો ઘસારો થાય તો ઉલ્ટા તે વધુ સાફ થાય, પણ આંખમાં કોમળ વસ્ત્રનો છેડો સ્પર્શી જાય તો પણ તે દૂભાય ! સામાન્ય માણસો રાજાની નોકરીમાં પણ રાજી-રાજી થઇ જાય, જયારે આ મહાપુરુષ રાજાના સત્કારને પણ અપમાન ગણે છે.
માતા-પુત્ર વચ્ચે ઘણી રકઝક થઇ. પણ શાલિભદ્ર પોતાની વાત પર અટલ રહ્યો. તેનો અડગ નિર્ણય જાણી માતાને થયું : હવે આ રોક્યો રોકાય તેમ નથી. અત્યારે કાળક્ષેપ કરવો એ જ કલ્યાણકારી છે. આમ વિચારીને તેણીએ કહ્યું, વત્સ ! તું દિવ્ય આહારથી ટેવાયેલો છે. પહેલા માણસોના આહાર, વિહાર, ગંધ વગેરેનો અભ્યાસ તો કર. એમને એમ દીક્ષા શી રીતે લઇ શકીશ ? શરીર બરાબર ટેવાઇ જાય પછી તું દીક્ષા લેજે. મારી ક્યાં ના છે ? માતાની આ વાતથી તે દરરોજ એકેક પ્રિયાનો ત્યાગ કરવા લાગ્યો.
ARRARAUAYA8A828282828282828
// ૭૨ ||